Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhumi Dwarka: દ્વારકાના જગતમંદિરને મળ્યું વર્લ્ડ અમેઝિંગ પેલેસનું સન્માન

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના પ્રસિદ્ધ જગત મંદિરને રવિવારે યુએસએ ન્યુ જર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Devbhumi Dwarka: દ્વારકાના જગતમંદિરને મળ્યું વર્લ્ડ અમેઝિંગ પેલેસનું સન્માન
દ્વારકા જગત મંદિર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 22, 2021 | 5:00 PM

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના પ્રસિદ્ધ જગત મંદિરને રવિવારે યુએસએ ન્યુ જર્સીની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વર્લ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર અને શારદાપીઠના બ્રહ્મચર્ય જીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ શીશ ઝુકાવવા આવતા હોય અને પુણ્યનું ભાથું બાંધી જાય છે. ત્યારે દ્વારકાધીશ જગત મંદિરને શનિવારના રોજ વર્લ્ડ અમેઝિંગ પ્લેસ તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન ન્યુ જર્સી (USA) સંસ્થાના ગુજરાતના ડાયરેકટર અને કો ઓર્ડીનેટરએ દ્વારકાધીશ મંદિરને વર્લ્ડ અમેઝિંગ પ્લેસનું પ્રમાણપત્ર આપ્યું હતું.

Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?
Marriage Guide : લગ્ન માટે માની જશે સાસુ-સસરા, જમાઈ એ કરવા પડશે આ 5 કામ

દ્વારકાધીશ જગત મંદિર વિશ્વ વિખ્યાત છે, ત્યારે દ્વારકા મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અંદાજિત 2,200 વર્ષ જૂની વિરાસત છે અને સરકાર દ્વારા પણ દ્વારકાના જગત મંદિર એવા દ્વારકાધીશ મંદિરને હેરિટેજ સીટીમાં સ્થાન આપ્યું છે, ત્યારે વર્લ્ડ કક્ષાએ પણ દ્વારકાની આગવી ઓળખ મળી છે ત્યારે વધુને વધુ દ્વારકાધીશના દર્શનાર્થે લોકો આવે અને વર્લ્ડ કક્ષાએ નોંધ લેવા અને વર્ષો જૂનો વારસો જળવાઈ રહે તે દિશામાં આગળ વધી જાળવી રાખવા પ્રયત્નશીલ રહેવાનો વિશ્વાસ જિલ્લા કલેકટરે વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ કહી શકાય કે દ્વારકાથી 10 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ બીચ જાહેર  કરવામાં આવ્યો છે. શિવરાજપૂર બીચના દરિયાનું પાણી, ખુબ જ સ્વચ્છ છે. આ સાથે જ દરિયાકિનારો પણ સ્વચ્છ હોય વિવિધ દરિયાઈ જીવસૃષ્ટિ, સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યોને જોઈને મનમોહિત થઈ જાય છે. શિવરાજપૂર સ્કૂબા ડાઈવિંગ માટે ખુબ જ અનુકૂળ છે. નોંધનીય છે કે, ભારતમાં 8 બીચને બ્લુ ફ્લેગ બીચનું સન્માન મળ્યું છે. જેમાં શિવરાજપુર બીચનો સમાવેશ થાય છે.

બ્લુ ફ્લેગનું સન્માન મેળવવા માટે અલગ-અલગ 33 માપદંડો હોય છે. આ માપદંડમાં ન્હાવાના પાણીની ગુણવત્તા, પર્યાવરણ, સુરક્ષા, સેવાઓ જેવી અનેક ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સન્માન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું હતું. શિવરાજપૂર બીચ પર પ્રવાસીઓના આકર્ષણ માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Holashtak 2021 : આજથી હોળાષ્ટક શરૂ, આ કામ કરવાથી મુશ્કેલીઓ થાય છે દૂર

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
ગુજરાતની પારખુ જનતા નબળું નેતૃત્વ ક્યારેય નહીં સ્વીકારે- પાટીલ
g clip-path="url(#clip0_868_265)">