AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બટાકાનગરી ડીસા હવે બનશે ટ્રાફિકમુક્ત! હાઈવે અકસ્માતમાં થશે ઘટાડો

ડીસા બનાસકાંઠા જિલ્લા નું આર્થિક પાટનગર છે. જે દેશમાં બટાકા નગરી તરીકે વિખ્યાત છે. પરંતુ ડીસાના મધ્યમાંથી નેશનલ હાઈવે 27 પસાર થતો હોવાથી વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો બને છે. પરંતુ રૂપિયા 225 કરોડના ખર્ચે ડીસા APMCથી લઈ બનાસ નદીના પુલ સુધી એલિવેટેડ બ્રિજ બનવા જઈ રહ્યો છે જેથી હવે ડીસાની ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત […]

બટાકાનગરી ડીસા હવે બનશે ટ્રાફિકમુક્ત! હાઈવે અકસ્માતમાં થશે ઘટાડો
Kuldeep Parmar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 11:14 AM
Share

ડીસા બનાસકાંઠા જિલ્લા નું આર્થિક પાટનગર છે. જે દેશમાં બટાકા નગરી તરીકે વિખ્યાત છે. પરંતુ ડીસાના મધ્યમાંથી નેશનલ હાઈવે 27 પસાર થતો હોવાથી વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો બને છે.

પરંતુ રૂપિયા 225 કરોડના ખર્ચે ડીસા APMCથી લઈ બનાસ નદીના પુલ સુધી એલિવેટેડ બ્રિજ બનવા જઈ રહ્યો છે જેથી હવે ડીસાની ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળશે.

ડીસામાં નેશનલ હાઈવેના અકસ્માતમાં અનેક લોકોએ અત્યાર સુધી અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જ્યારે આ ધોરીમાર્ગ સાથે થરાદ, લાખણી, થરા, રાધનપુર, ધાનેરા જેવા મુખ્ય તાલુકાઓ જોડાયેલા છે. જેના કારણે વારંવાર આ તાલુકાના લોકોએ પણ ટ્રાફિકની સમસ્યા નો સામનો કરવો પડે છે.

ડીસામાં એલિવેટેડ બ્રિજ બને તે માટે અકસ્માત નિવારણ સમિતિએ પણ અનેક રજૂઆત અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ આજે ડીસાથી 4 કિમીના એલિવેટેડ બ્રિજનું ખાતમુહૂર્ત થતાં લોકોમાં આનંદ નો માહોલ છવાયો છે. મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે આજે એલિવેટેડ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

30 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ જૂની એલિવેટેડ બ્રિજની માંગણી સંતોષાતા ડીસા અને બનાસવાસીઓમાં આનંદનો માહોલ છે.

હવે આ પંથકમાં રહેતા લોકો આ બ્રિજના કારણે ખુશ તો છે જ અને સાથે સાથે અહીં થતા અકસ્માતમાં જીવ ગુમાવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થશે. જોકે હવે આ બ્રિજનું કામકામ નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવે તેનું ધ્યાન તંત્ર રાખે તે પણ એટલું જ મહત્ત્વનું છે.
[yop_poll id=1033]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">