AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DANG : જિલ્લામાં 98 ટકા આદિવાસી વસ્તી, રહેઠાણ અને પહેરવેશ બદલાયા, સંસ્કૃતિ આજે પણ જળવાઈ રહી

World Tribal Day : ડાંગના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ઠાકર્યા નાચ, પાવરી નાચ, કાહલ્યા નૃત્ય પ્રખ્યાત છે. તેઓ દરેક નૃત્યમાં પોતાની જાતે બનાવેલાં સંગીત વાદ્યોનો ઉપયોગ કરે છે.

DANG : જિલ્લામાં 98 ટકા આદિવાસી વસ્તી, રહેઠાણ અને પહેરવેશ બદલાયા, સંસ્કૃતિ આજે પણ જળવાઈ રહી
World Tribal Day : residence and dress of the tribals in Dang district changed, the culture is still maintained today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:37 AM
Share

DANG : આજે 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day) નિમિત્તે રાજ્યનો આદિવાસી સમુદાય તેની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ડાંગ જિલ્લામાં આવેલી છે. અહીં 98 ટકા આદિવાસીઓ વસે છે. આટલા વર્ષોમાં તેઓની રહેઠાણ અને પહેરવેશ બદલાયા છે પરંતુ તેઓની વર્ષો જૂની સંસ્કૃતિ આજે પણ જળવાઈ રહી છે.

આદિવાસીઓના વર્ષમાં અનેક તહેવારો ઉજવાય છે અને પ્રસંગોપાત તેઓ પોતાના સંગીત વાદ્યો અને નાચગાન કરતાં રહે છે. ડાંગના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ઠાકર્યા નાચ, પાવરી નાચ, કાહલ્યા નૃત્ય પ્રખ્યાત છે. તેઓ દરેક નૃત્યમાં પોતાની જાતે બનાવેલાં સંગીત વાદ્યોનો ઉપયોગ કરે છે. જેમાં થાળી વાદ્ય પણ ખૂબજ પ્રખ્યાત છે. જે શુભ અને અશુભ બન્ને પ્રસંગે વગાડવામાં આવે છે.

થાળી વાદ્ય સાથે ડાંગનું પાવરી વાદ્ય પણ આજે દેશવિદેશમાં ખૂબ જાણીતી બન્યું છે. જે મુખ્યત્વે શુભ પ્રસંગોમાં વગાડવામાં આવે છે. ગપણતી ઉત્સવ, નવરાત્રિ અને દિવાળી બાદ ડુંગર દેવની પૂજા સમયે સમગ્ર ડાંગ જિલ્લામાં પાવરી ના શુરો સાંભળવા મળે છે.

ડાંગના લોકો પ્રકૃતિ પૂજક છે. જિલ્લાના દરેક ગામના પાદરે વાઘ દેવ, મોર દેવ, નાગ દેવ, સૂર્ય દેવ અને ચંદ્ર દેવની સ્થાપના જોવામાં મળે છે. વાઘબારસના રોજ અહીંયા વિશેષ પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો : GIR SOMNATH : શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિરે ભક્તો ઉમટ્યા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભુલાયા

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ થયું, કુલ રસીકરણનો આંકડો 3.65 કરોડ થયો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">