Dang : આહવામાં જમાઈએ સસરાની હત્યા કરી નાખી, પોલીસે હત્યારા જમાઈની કરી ધરપકડ

|

Aug 04, 2022 | 8:46 AM

તકરાર દરમ્યાન ઉશ્કેરાઈ ગયેલા જમાઈએ સસરા ફુલસિંગના માથાનાં ભાગે લાકડાનાં સપાટા મારી દેતા તે લોહીલુહાણ થઇ ફસડાઈ પડ્યો હતો. ફૂલસિંગભાઈ ઉત્તમભાઈ પવારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

Dang : આહવામાં જમાઈએ સસરાની હત્યા કરી નાખી, પોલીસે હત્યારા જમાઈની કરી ધરપકડ
symbolic image

Follow us on

દક્ષિણ ગુજરાતમાં ડાંગ(Dang) જિલ્લાનાં આહવા તાલુકામાં હત્યાનો ગુનો નોંધાયો છે. ગાઢવી ગામે સસરાનું જમાઈએ ઢીમ ઢાળી દેતા મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. સસરા અને જમાઈ વચ્ચે જમવા તથા ઘરખર્ચ બાબતે તકરાર થતા જમાઈએ આવેશમાં આવી જઈ સસરાની હત્યા કરી નાખી છે.આ ઘટનાને પગલે પવાર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે ઘટનાના ગણતરીના સમયમાં જ હત્યારા જમાઇની ધરપકડ કરી જેલના સળિયા સળિયા પાછળ ધકેલી દીધો છે. મૃતક સસરાના મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે આરોગ્યકેન્દ્ર ખસેડી કારયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગાઢવી ગામે ફૂલસિંગભાઈ ઉત્તમભાઈ પવારની તેના જમાઈ શિવરામભાઈ દેવરામભાઈ પવાર સાથે તકરાર થઇ હતી. પવાર પરિવારમાં સસરા – જમાઈ એક જ ઘરમાં રહે છે. ગઈકાલે રાતે સસરા અને જમાઈ ફૂલસિંગભાઈ ઉત્તમભાઈ પવાર તથા શિવરામભાઈ દેવરામભાઈ પવાર જમવા સાથે બેઠા હતા. ભોજન દરમ્યાન વાતચીતમાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જમાઈ શિવરામભાઈ પવારે જમવા તથા ઘરખર્ચ બાબતે સસરા જોડે તકરાર કરી હતી. બંને વચ્ચેની વાતચીત ઉગ્ર થઇ જતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

તકરાર દરમ્યાન ઉશ્કેરાઈ ગયેલા જમાઈએ સસરા ફુલસિંગના માથાનાં ભાગે લાકડાનાં સપાટા મારી દેતા તે લોહીલુહાણ થઇ ફસડાઈ પડ્યો હતો. ફૂલસિંગભાઈ ઉત્તમભાઈ પવારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. જમાઈ સસરાને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ આહવા પોલીસને થતા આહવા પીએસઆઈ પી.એચ.મકવાણા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી મૃતક ફુલસિંગ પવારની લાશનો કબજો મેળવી પોસ્ટ મોટર્મ માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતી. બનાવ સંદર્ભે પ્રેમીલાબેન પવારની ફરિયાદનાં આધારે આરોપી જમાઈ શિવરામભાઈ પવારની ધરપકડ કરી તેની સામે ઈપીકો કલમ ન.323, 504, 302 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

અંકલેશ્વરમાં મોડી રાતે યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું

અંકલેશ્વરમાં એક વ્યક્તિ ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે. મોડી રાતે  બનેલી ઘટનાનાં પગલે પોલીસ દોડતી થઇ છે. પ્રાથમિક અનુમાન અનુસાર ચૂંટણીની અદાવતે આ હુમલો થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઇજાગ્રસ્તને માથાના ભાગે ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે જાનથી મારી મનખવાની કોશિશ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં ફાયરિંગની આ ટૂંકા સમયગાળામાં બીજી ઘટના છે. તાજેતરમાંજ એક યુવાનની ગોળી ધરબી દઇ જીઆઇડીસી વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી જે બાદ આજે વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે.

Published On - 8:46 am, Thu, 4 August 22

Next Article