Dahod: દાહોદ જિલ્લામાં 44મી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા (Rathyatra) કોરોનાની ગાઈડ લાઈન મુજબ કાઢવામાં આવી હતી. ભક્તોએ પોતાના ઘરે રહી રથયાત્રાના દર્શન કર્યા હતા.
દાહોદ (Dahod) માં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતુ. આ રથયાત્રા (Rathyatra) દાહોદ, લીમડી, ઝાલોદ, લીમખેડા નીકળી હતી. રણછોડરાયની રથયાત્રા દર વર્ષ અષાઢી બીજના દિવસે નીકળે છે. કોરોના (Corona) મહામારીને ધ્યાને રાખીને કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, જેથી મર્યાદિત સંખ્યામાં જ હરિભક્તો અને સેવકો જોડાયા હતા.
ગત્ત વર્ષ કોરોના (Corona) મહામારીને ધ્યાને રાખીને રથયાત્રા (Rathyatra) બંધ રાખવામાં આવી હતી. આ વર્ષે મંદિર સહિતના વિભાગોએ ચર્ચા કર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Bhavnagar : જય જય જગન્નાથના નાદ સાથે રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી
Published On - 12:38 pm, Mon, 12 July 21