કચ્છ તરફ ગતિમાન ‘વાયુ’ વાવાઝોડું ફરી ડિપ્રેશનમાં ફેરવાયું, આ બે વિસ્તાર વચ્ચે અથડાઈ તેવી સંભાવના
કચ્છ તરફ આવી રહેલું વાયુ વાવાઝોડું હાલ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. વાયુ વાવાઝોડાને કચ્છ તરફ આવતા હજુ પાંચથી છ કલાકનો સમય લાગશે. જ્યારે તે કચ્છ તરફ આવશે ત્યારે ડિપ્રેશનમાં ફેરવાતાં તેની અસરકારકતા બિલકુલ ઘટી જશે. વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયા બાદ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં વાયુ વાવાઝોડાને કારણે કચ્છ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ 60થી 70 […]

કચ્છ તરફ આવી રહેલું વાયુ વાવાઝોડું હાલ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે. વાયુ વાવાઝોડાને કચ્છ તરફ આવતા હજુ પાંચથી છ કલાકનો સમય લાગશે. જ્યારે તે કચ્છ તરફ આવશે ત્યારે ડિપ્રેશનમાં ફેરવાતાં તેની અસરકારકતા બિલકુલ ઘટી જશે. વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયા બાદ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હાલમાં વાયુ વાવાઝોડાને કારણે કચ્છ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ 60થી 70 કિમી પ્રતિ કલાકની રહેશે. વાયુ વાવાઝોડુ લખપત-માંડવી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે.
જોકે આની ચિંતા કચ્છ કે તેની આસપાસના લોકોએ કરવી નહીં કારણ કે વહીવટીતંત્ર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. રાજ્યમાં કુલ 24 NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં કચ્છમાં 5 ટીમ, પોરબંદર, જામનગર, દ્રારકા, મોરબીમાં બે બે ટીમો તૈનાત રાખવામાં આવી છે. જુનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, બનાસકાંઠા જિલ્લામા NDRFની એક એક ટીમ તૈનાત રાખવામાં આવી છે. તેમજ ગાંધીનગર ખાતે બે ટીમો સ્ટેંડ બાય રાખવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દરિયામાં સક્રિય વાયુ વાવાઝોડુ 5-6 ક્લાકમાં ભૂજ પહોંચે તેવી હવામાન ખાતાની આગાહી છે. હાલમાં ભૂજમાં કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. કંડલા, મુન્દ્રા, માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 3 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથેજ કચ્છમાં NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનના કારણે લગાવાયુ સીગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બિચથી પ્રવાસીઓ અને રહેવાસીઓને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટને પગલે રો રો ફેરી બંધ કરવામાં આવી છે. વાયુ વાવાઝોડાને પગલે જ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ છે.