દરિયામાં સંભવીત ચક્રવાતને લઈને NDRFની ટીમોને રવાના કરવામાં આવીછે. દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી ગઈ છે. NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જવા માટે રવાના કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ પર છે.
‘વાયુ’ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે. અંદાજે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સમયે સંભવિત નુકસાનને રોકવા સરકાર સજજ બની છે. વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે ભાવનગરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોની 255 બોટ પરત બોલાવવામાં આવી છે. જિલ્લાના કુલ 34 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો