જામનગરમાં સેનાની ત્રણેય પાંખના જવાનો ખડેપગે, નીચાણવાળા 25 ગામોમાંથી 13 હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર
જામનગરના 13900 જેટલા લોકોને સ્થળાંતર કરાવાશે. નીચાણવાળા 25 ગામોની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ. તો સાથે સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. નેવીના 500 જવાનોની મદદ લેવાની સાથે ઈન્ડિયન આર્મીની 7 ટીમો મદદ માટે ખડે પગે રહેશે. આ પણ વાંચોઃ ‘વાયુ’ વાવાઝોડાના સંકટને દરિયાકાંઠાના સિંહોને સ્થળાંતર કર્યા બાદ હોટલોમાંથી પ્રવાસીઓને પરત મોકલી […]
જામનગરના 13900 જેટલા લોકોને સ્થળાંતર કરાવાશે. નીચાણવાળા 25 ગામોની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ. તો સાથે સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. નેવીના 500 જવાનોની મદદ લેવાની સાથે ઈન્ડિયન આર્મીની 7 ટીમો મદદ માટે ખડે પગે રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્રણેય પાંખના વડા સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજી હતી. ત્રણેય પાંખની સેના વહીવટી તંત્રના સહયોગમાં છે ત્યારે મરીન કમાન્ડોની પણ મદદ લેવાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં જરૂર પડે ત્યાં જામનગરમાં હેલિપેડ પણ ઉભું કરાશે. કરાશે. લોકોની સુવિધા માટે ફૂડ પેકેટ ડ્રોપ કરવા સહિતની તૈયારીઓ પણ કરી દેવાઈ છે. NDRFના 28 જવાનોની ટીમ પણ જામનગર ખાતે પહોંચી ચૂકી છે.