રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતી જાય છે તેમની હાલત ગંભીર બનતા મુખ્યપ્રધાન દ્વારા અમદાવાદથી ત્રણ ડૉક્ટર ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે રાજકોટ પહોંચ્યા છે.
અભય ભારદ્વાજનો 31 ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેઓ છેલ્લા 16 દિવસથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદના ત્રણ ડૉક્ટરની સાથે કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ પહોંચ્યા છે. અમદાવાદથી આવેલા ડૉ. અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ અને ડૉ.આનંદ શુક્લ અભય ભારદ્વાજની સારવાર કરશે.
અભય ભારદ્વાજને સતત વેન્ટિલેટરની જરૂર પડી રહી હોવાથી વેન્ટિલેટર પર રખાયા છે. પાછલા 16 દિવસથી ચાલી રહેલી સારવાર દરમિયાન અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી વેન્ટિલેટર દ્વારા કુત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યા છે. હાલ ભારદ્વાજની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ભારદ્વાજની સારવારમાં એઇમ્સના ટોચના તબીબો પણ જોડાયા છે જ્યારે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન સારવાર પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:32 pm, Tue, 15 September 20