કોરોના વાયરસની દહેશતને લઈ રાજ્ય સરકારે સાવચેતી રાખવા માટે 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સ યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી કાર્યક્રમ ઉજવવા પર રોક લગાવાઈ છે. સરકારે સામુહિક મેળાવડા અને નાના મોટા પ્રસંગ ન ઉજવવા અપીલ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જિલ્લા કલેક્ટર સહિતના તંત્રને સરકારે લોકો સુધી માહિતી પહોંચાડવાનું સૂચન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના 81 કેસ નોંધાયા છે. વિશ્વમાં કોરોનાના કેસ 1,25,000થી પણ વધુ છે. જ્યારે કોરોના વાયરસના કારણે વિશ્વમાં આશરે 4,000થી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી
Published On - 6:48 am, Sat, 14 March 20