કોરોના: ગુજરાતના મંદિરોમાં ‘સાષ્ટાંગ પ્રણામ’ કરવાની મંજૂરી નથી, ભક્તો ફકત દૂરથી જ ‘નમસ્તે’ કરી શકે
કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. ભગવાન પ્રત્યે આદર વ્યક્ત કરવાની રીત પણ બદલાઈ ગઈ છે.
કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. ભગવાન પ્રત્યે આદર વ્યક્ત કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. ગુજરાતમાં મંદિરોમાં આવતા ભક્તોને ‘સાષ્ટાંગ પ્રણમ’ કરવાની મંજૂરી નથી. ભક્તો ફક્ત હાથ જોડીને ‘નમસ્તે’ કરી શકે છે. આ ઉપરાંત અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની માનક સંચાલન પ્રક્રિયા પ્રમાણે મંદિરમાં પ્રસાદ લાવવાની મંજૂરી પણ આપવામાં આવી નથી.
રાજ્યમાં લોકડાઉન લાગુ થયાના 75 દિવસ બાદ જૂન મહિનામાં મંદિર અને અન્ય મંદિરો ફરીથી ખોલવામાં આવ્યા હતા. પ્રખ્યાત સોમનાથ મંદિરના મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે, “સરકારના માર્ગદર્શિકા મુજબ, સાષ્ટાંગ પ્રણામ કરવાની મંજૂરી નથી. માનક સંચાલન પ્રક્રિયા હેઠળ, ભક્તોને કંઈપણ વસ્તું સ્પર્શ કરવાની છૂટ નથી. લોકોને ફક્ત દર્શન માટે મંદિરના ગર્ભગૃહની મુલાકાત લેવાની મંજૂરી છે. ‘
આરતી માટે મંદિરમાં પ્રવેશ નહીં ચાવડાએ કહ્યું, ‘કોઈ પણ ભક્તને દિવસમાં થનાર ત્રણ વખત આરતી માટે મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી, અથવા એક સમયે 5 થી વધુ શ્રદ્ધાળુઓને બેસવા અને પૂજા કરવાની છૂટ નથી. યજ્ઞ દરમિયાન ત્રણ કરતા વધારે લોકોને હાજર રહેવાની મંજૂરી નથી. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગુજરાતનું બીજું પ્રખ્યાત મંદિર, અંબાજી માતા મંદિર પણ સરકારની માર્ગદર્શિકા મુજબ સાંષ્ટાંગ પ્રણામની મંજૂરી નથી. મંદિરના પ્રવક્તા આશિષ રાવલે આ માહિતી આપી. તેમણે કહ્યું હતું કે થર્મલ સ્ક્રિનિંગ પછી શારીરિક અંતર અનુસરીને માસ્ક લગાવ્યા પછી જ ભક્તોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી છે.