AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસની ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ, આ દિગ્ગજ MLA એ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

એક તરફ ચૂંટણી ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(Prashant Kishor) કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યો છે,તેની વચ્ચે કોંગ્રેસ ગઢના દિગ્ગજ નેતાએ આગામી ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કોંગ્રેસની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે

કોંગ્રેસની 'એક સાંધે ત્યાં તેર તુટે' જેવી સ્થિતિ, આ દિગ્ગજ MLA એ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
Mohansinh Chhotubhai Rathva
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 5:44 PM
Share

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈને દરેક રાજકીય પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે. ભાજપના મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાત કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ કમર કસી રહી છે. પરંતુ હાલની સ્થિતિને જોઈએ તો કોંગ્રસની ‘એક સાંધે..ત્યાં તેર તુટે…’ જેવી સ્થિતિ છે.કોંગ્રેસનો ગઢ ગણાતા છોટાઉદ્દેપુર (Chhota Udepur) વિધાનસભા બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ (Mohansinh Rathva)આગામી ચૂંટણીમાં ન લડવાની જાહેરાત કરી છે.

સૌથી વધારે વાર ધારાસભ્ય તરીકે રહ્યાનો રેકોર્ડ

તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે વાર ધારાસભ્ય તરીકે રહ્યાનો રેકોર્ડ મોહનસિંહ રાઠવાના નામે છે. હવે તેઓ વિધાનસભાની 2022ની ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા દિગ્ગજ કહેવાતા નેતાએ પીછહટ કરતા કોંગ્રેસની ચિંતા વધી છે.

11 વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે રાઠવા

મોહનસિંહ રાઠવા 11 વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. સાથે જ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ એમના નામે છે. મોહનસિંહે રાઠવાએ  વિધાનસભાનમાં 1972થી અત્યાર સુધી સતત લગભગ 55 વર્ષ સુધી તેણે વિધાનસભાના સભ્ય તરીકે 11 વખત ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે. પરંતુ ગુજરાતના યુવાનો રાજકારણમાં આવે તે માટે તેણે આ પહેલ કરી છે.

એક તરફ ચૂંટણી ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યો છે,ઉપરાંત હાર્દિક પટેલ (Hardik Patel) પણ પાર્ટીને લઈને નારાજ જોવા મળી રહ્યો છે.તેની વચ્ચે કોંગ્રેસ ગઢના દિગ્ગજ નેતાએ આગામી ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કોંગ્રેસની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. તમને જણાવું રહ્યું કે, મોહનસિંહનું આદિવાસી વિસ્તારમાં સારૂ પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1972માં પહેલી વખત તેઓ ચૂંટણી લડ્યા હતા. એ સમયથી તેઓ સતત  ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા છે.

આ કારણે કોંગ્રેસી નેતાએ પીછહઠ કરી

યુવાનોને રાજકારણમાં તક આપવાના હેતુંથી તેમણે ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. પોતાના મત વિસ્તારમાં પણ મોહનસિંહ રાઠવાનો એક પ્રકારનો દબદબો રહ્યો છે. 11 વખત તેમણે કોંગ્રેસમાંથી જીત મેળવી છે. હવે યુવાનો આગળ આવે એ માટે તેમણે પોતાનું પદ છોડ્યું છે.

આ પણ વાંચોઃ Surat : ગ્લોબલ ટેન્ડરને પગલે શહેરના રસ્તાઓ પર હવે 450 ઈલેક્ટ્રીક બસો દોડશે

આ પણ વાંચોઃ પીપાવાવ પોર્ટ પર 24 કલાકથી ગુજરાત ATS અને DRIનું મેગા સર્ચ ઓપરેશન, સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">