લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, છોટા ઉદેપુરથી પાંચવાર સાંસદ રહેલા નારણ રાઠવા કાલે કરશે કેસરીયા

લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે. આદિવાસી સમાજના કદાવર નેતા અને છોટા ઉદેપુરથી પાંચવાર સાંસદ રહી ચુકેલા નારણ રાઠવા આવતીકાલે ભાજપમાં જોડાવાની શક્યતા છે. રાઠવા તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. જેનાથી કોંગ્રેસની મજબુત આદિવાસી વોટબેંકમાં મોટુ ગાબડુ પડશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 29, 2024 | 12:25 AM

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષની હાલત કફોડી થતી જાય છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા આવતીકાલે ભાજપમાં જોડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં નારણ રાઠવા પોતાના સમર્થકો સાથે કેસરિયા કરશે. આદિવાસી સમાજમાંથી આવતા અને આદિવાસી વિસ્તારનો કદાવર ચહેરો કોંગ્રેસમાં જો કોઈ ગણાતા હોય તો તે નારણ રાઠવા છે અને હવે એ પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા નારણ રાઠવાની મજબુત આદિવાસી વોટબેંક છે. આથી નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે તેમ છે.

કોંગ્રેસના નારણ રાઠવાની રાજકીય સફર

  • છોટા ઉદેપુરથી કોંગ્રેસના પાંચવાર લોકસભાના સાંસદ રહી ચુક્યા છે નારણ રાઠવા
  • આદિવાસી સમાજનો કદાવર ચહેરો અને આદિવાસી મત વિસ્તારમાં મજબુત પકડ
  • UPA સરકારમાં રહી ચુક્યા છે રેલ રાજ્ય મંત્રી
  • કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ પણ રહી ચુક્યા છે

આ પણ વાંચો: WITT: Tv9ના મંચ પરથી પીએમ મોદીના ભાષણની 9 મહત્વની વાત

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">