AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur: વાંટા નજીક 5 મહિનાથી પૂલ ધોવાયો, છતા તંત્ર નીંદ્રાધીન, 25થી 30 ગામોના લોકોના હાલાકી

Chhota Udepur: બોડેલીના વાંટા ગામ નજીક આવેલા પૂલનું છેલ્લા 5 મહિનાથી ધોવાણ થયુ છે. પરંતુ તંત્રદ્વારા પૂલ નિર્માણની કામગીરી કરવામાં નથી આવી. જેના કારણે આસપાસના 25થી30 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Chhota Udepur: વાંટા નજીક 5 મહિનાથી પૂલ ધોવાયો, છતા તંત્ર નીંદ્રાધીન, 25થી 30 ગામોના લોકોના હાલાકી
25 ગામોને જોડતો પૂલ ધોવાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 12:03 AM
Share

 છોટાઉદેપુરના બોડેલી તાલુકાના વાંટા ગામ નજીકથી પસાર થતા માર્ગ પર આવેલી એક કોતર છે. જેની પર બનેલા પૂલનું ધોવાણ થઈ ગયું છે. હવે ફિકર એ વાતની છે કે ચોમાસુ આવતા પહેલા જો પુલનું નિર્માણ નહીં થાય તો 25 થી 30 ગામના રાહદારીઓ માટે ભારે મુશ્કેલી સર્જાશે. ગત ચોમાસામાં પૂલનું ધોવાણ થઈ ગયું હતું. સરકાર દ્વારા સાવધાન રહેવાનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે પરંતુ 5થી 6 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પૂલનું ફરી નિર્માણ કરવામાં નથી આવ્યું. જેના કારણે આસપાસના 25થી 30 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

25થી 30 ગામોને જોડતો એકમાત્ર પૂલ ધોવાયો, તંત્ર નીંદ્રાધીન

આ એક માત્ર રસ્તો હોવાથી આસપાસના ગામના લોકોની ચિંતા ઓર વધી ગઈ છે. હાલ તો ગામ લોકોએ નદીના પટમાંથી ડાઈવર્ઝન આપ્યું છે અને ત્યાંથી વાહન પસાર થાય છે પરંતુ ચોમાસા પહેલા આ પૂલ નહીં બનાવામાં આવે તો આસપાસના ગામના લોકો પોતાના જ ગામમાં કેદ થઈ જાય તેવી સ્થિતિ બની જશે. એટલું જ નહીં એમ્બ્યૂલન્સ જેવા ઈમરજનસી વાહનો પણ નહીં ચાલી શકે.

સ્થાનિકો રજૂઆતો કરી-કરીને થાક્યા, નીંભર તંત્રની નથી ખૂલતી આંખ

એવું ય નથી કે તંત્રને આની જાણ નથી બલકે પાવીજેતપૂર, બોડેલી, નસવાડીને જોડતા આ માર્ગના પૂલના નિર્માણ માટે લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી. સ્થાનિકોના મતે જો પૂલના નિર્માણની કામગીરી તાકીદે શરૂ કરવામાં નહી આવે તો લોકો માટે અવરજવર બંધ થઈ જશે. ચોમાસા સમયે ખેડૂતો પણ પોતાના ખેતરમાં નહીં જઈ શકે. સૌથી કફોડી સ્થિતિ વિદ્યાર્થીઓની થઈ છે. શાળા અને કોલેજે જવા માટે માત્ર આ એક જ રસ્તો છે અને ચોમાસા પહેલા પૂલ ન બન્યો તો વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરવા પણ નહીં જઈ શકે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકારી તંત્રને આ મુશ્કેલી દેખાશે ?

ડાયવર્ઝન હોવાને કારણે કેટલાક લોકો જીવના જોખમે કોતરમાં ઉતરીને નદી પાર કરી રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. ત્યારે તંત્ર અને સત્તાધારીઓને સ્થાનિક લોકોની આ મુશ્કેલીઓ દેખાશે કે, કેમ તે એક મોટો સવાલ છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">