AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ચરખો કાંત્યો

બોરિસ જોન્સન આજે સવારે 8 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનું સ્વાગત કર્યું હતું. આ સાથે ગુજરાતની મુલાકાતે આવનાર બોરિસ જોનસન બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બન્યા છે.

Ahmedabad: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ચરખો કાંત્યો
British Prime Minister o Boris Johnson visited the Gandhi Ashram
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 11:57 AM
Share

ગુજરાતના પ્રવાસે આવી પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સ (British Prime Minister Boris Johnson) ને અમદાવાદમાં (Ahmedabad) ગાંધી આશ્રમ (Gandhi Ashram) ની મુલાકાત લીધી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ગાંધી આશ્રમમાં બોરિસ જ્હોન્સન ચરખો કાંતતા શીખ્યા હતા. સાબરમતી આશ્રમ તરફથી બોરિસ જ્હોન્સનને એક પુસ્તિકા સાથે એક રેંટિયાની ભેટ આપવામાં આવી હતી. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો.

બોરિસ જોન્સન આજે સવારે 8 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનું સ્વાગત કર્યું હતું. આ સાથે ગુજરાતની મુલાકાતે આવનાર બોરિસ જોનસન બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. એરપોર્ટથી તેઓ હયાત હોટલ જવા રવાના થયા હતા. અમદાવાદમાં આગમન થતાં ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલ સુધી તેનું સ્વાગત કરાયું હતું. હોટેલ બહાર પણ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હયાત હોટેલથી તેઓ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતો પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ આજે વિવિધ બિઝનેસમેનો સાથે મુલાકાત કરશે. જ્યારે આવતી કાલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે.  બોરિસ જોનસન અમદાવાદથી તેમની ભારત યાત્રા શરૂ કરશે.

બ્રિટનના પીએમ જોનસન આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાત રિજન્સીમાં રોકાયા છે. તેમનો બુલેટપ્રુફ સ્યુટ રિવરફ્રન્ટ ફેસિંગ છે. બ્રિટિશ ડેલિગેશન માટે હોટેલના 9માં અને 10માં માળ સહિત 80 રૂમ બુક કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આવ્યા બાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે.

બોરિસ જોનસનના કાર્યક્રમની વાત કરીએ તો અમદાવાદમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે તેઓ મુલાકાત કરશે. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટરથી હાલોલ પહોંચશે. જ્યાં જેસીબી કંપનીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. બપોરે તેઓ ગાંધીનગરમાં સચીવાલય પહોંચશે. તેમજ અક્ષરધામની પણ મુલાકાત લેવાના છે. પીએમ જોનસન ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેવાના છે. આ યુનિવર્સિટીમાં યુકેની એડિનબર્ગ યુનિવર્સિટી સહયોગી બની રહી છે. જ્યાં તેઓ ફેકલ્ટી સાથે વાર્તાલાપ કરશે. સાંજે તેઓ હયાત હોટલ પરત ફરશે. જ્યાંથી રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં 22 એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ ચર્ચા થશે, જેમાં વ્યાપાર, ઉર્જા અને રક્ષા ક્ષેત્ર સહિતના વિષયો પર ચર્ચા થશે. 2035 સુધીના આયોજનને લઈ વેપાર ક્ષેત્રમાં મહત્વના રોકાણ સંબંધે ચર્ચા થશે.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલ દોષિત જાહેર, આરોપીને કેટલી સજા થશે તે બાબતે બંને પક્ષના વકીલો કરશે દલીલો

આ પણ વાંચોઃ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">