AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પોલીસ સ્ટેશનમાં પોલીસ અસુરક્ષિત? આરોપીએ પોલીસકર્મીને પાઇપનો ઘા કર્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

Breaking News : ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો થયો છે. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ વ્યક્તિએ હુમલો કર્યો છે.

Breaking News : પોલીસ સ્ટેશનમાં પોલીસ અસુરક્ષિત? આરોપીએ પોલીસકર્મીને પાઇપનો ઘા કર્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
| Updated on: Aug 28, 2023 | 1:20 PM
Share

Breaking News : ભરૂચ(Bharuch Police) શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો(Attack on Police) થયો છે. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ વ્યક્તિએ હુમલો કર્યો છે. હુમલામાં પોલીસકર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઈજાગ્રસ્ત થયા છે જેમને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હુમલાખોર આરોપીનું નામ વિજય હોવાનું અને તે માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા(Mayur Chanda – SP Bharuch)એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ભીમસિંગ રામસિંગભાઈ – ઈજાગ્રસ્ત પોલીસકર્મી

પોલીસ સ્ટેશનમાં પોલીસ અસુરક્ષિત?

પોલીસસુત્રો તરફથી મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ કંટ્રોલને મળેલી માહિતીના આધારે PCR ની ટીમે અસામાજિક પ્રવૃત્તિ મામલે એક વ્યક્તિની અટકાયત કરી તેને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરી દીધો હતો.

ભીમસિંગ રામસિંગભાઈ વસાવા પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે અચાનક આરોપીએ તમેના માથામાં પાઇપનો ઘા કરી દીધો હતો. આરોપી પાસે સળિયો કઈ  રીતે આવ્યો અને તેણે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કેમ કર્યો તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ઉપર સળીયાથી હુમલાની ઘટના ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એકતરફ આરોપી અસ્થિર મગજનો હોવાનો ગણગણાટ છે તો બીજી તરફ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા (Mayur Chanda – SP Bharuch) અને નાયબ પોલીસ અધિકક્ષ ચિરાગ દેસાઈ (Chirag Desai -Dysp)પહોંચ્યા હતા જેમણે ઘટનાનો તાગ મેળવ્યો હતો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">