Breaking News : પાટીદાર આંદોલનના કેસમાં મોટો વળાંક, હાર્દિક પટેલ સામેના કેસો પાછા ખેંચવા કવાયત તેજ

પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાયેલા વર્ષ 2018ના કેસને પરત ખેંચવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે અમદાવાદ કલેક્ટર દ્વારા જિલ્લા સરકારી વકીલને પત્ર લખીને જરૂરી કાનૂની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

Breaking News : પાટીદાર આંદોલનના કેસમાં મોટો વળાંક, હાર્દિક પટેલ સામેના કેસો પાછા ખેંચવા કવાયત તેજ
| Edited By: | Updated on: Apr 11, 2026 | 2:30 PM

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોને લઈને એક મહત્વપૂર્ણ અને રાજકીય રીતે ચર્ચાસ્પદ વિકાસ સામે આવ્યો છે. હાર્દિક પટેલ વિરુદ્ધ દાખલ થયેલા કેસને પરત ખેંચવા માટે રાજ્ય સ્તરે કવાયત તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે અમદાવાદના કલેક્ટર દ્વારા જિલ્લા સરકારી વકીલને સત્તાવાર પત્ર લખીને સરકારના નિર્ણયથી અવગત કરાવવામાં આવ્યા છે અને જરૂરી કાનૂની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

પાટીદાર આંદોલનના કેટલાક આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી

આ કેસનો મૂળ આધાર વર્ષ 2018નો છે, જ્યારે નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત પાટીદાર આંદોલનના કેટલાક આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ પાટીદાર અનામતની માંગ સાથે યોજાયેલા પ્રતિક ઉપવાસ અને વિરોધ કાર્યક્રમ દરમિયાન થયેલી ઘટનાઓને આધારે નોંધાઈ હતી. પોલીસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે આંદોલન દરમિયાન પરવાનગી વિના ધરણા કરવામાં આવ્યા હતા, લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો અને પોલીસ કર્મચારીઓ સાથે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હાર્દિક પટેલ સામે વોરંટ જાહેર કરાયુ હતુ

હાલમાં આ કેસ Ahmedabad Rural Courtમાં ટ્રાયલ હેઠળ છે. અગાઉ આ જ કેસમાં કોર્ટ દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. હવે રાજ્ય સરકાર દ્વારા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવાતા કાનૂની પ્રક્રિયામાં નવી દિશા મળી છે.

જિલ્લા સરકારી વકીલ કોર્ટમાં અરજી કરશે

કાનૂની નિષ્ણાતોના મતે, સરકાર કોઈપણ કેસ પરત ખેંચે તે પહેલાં કોર્ટની મંજૂરી લેવી આવશ્યક હોય છે. તેથી જિલ્લા સરકારી વકીલ કોર્ટમાં અરજી કરશે, ત્યારબાદ કોર્ટ કેસની પ્રકૃતિ, પુરાવા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય કરશે.

આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આને રાજકીય નિર્ણય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકનું માનવું છે કે લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન સંબંધિત કેસોમાં રાહત આપવાનો પ્રયાસ છે. હવે સૌની નજર કોર્ટના આગામી નિર્ણય પર ટકી છે, જે આ સમગ્ર મામલે અંતિમ વળાંક લાવશે.

વીથ ઇનપુટ-રોનક વર્મા

Breaking News : ઢોંસાના ખીરાથી 2 બાળકીના મોતના આરોપ કેસમાં બાળકીના પિતાની 2 કલાક કડક પુછપરછ, પિતાએ એક જ વાતનું કર્યુ રટણ…

Published On - 2:29 pm, Sat, 11 April 26

Follow Us