AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં આરોગ્ય વિભાગની તવાઇ, એલપી સવાણી અને સન ફ્લાવર સહિત 31 સ્કૂલને મચ્છરના બ્રીડિંગ મુદ્દે ફટકારાયો દંડ

પાલિકાના આરોગ્ય વિભાગે સુરતની 832 સ્કૂલમાં સર્વે હાથ ધર્યો હતો. ત્યારે તેમણે સ્કૂલોમાંથી ભંગાર દૂર ન કરવાને 39 નોડલ ઓફિસરોને નોટિસ ફટકારી છે. તેમજ રૂપિયા 3700નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

Breaking News : સુરતમાં આરોગ્ય વિભાગની તવાઇ, એલપી સવાણી અને સન ફ્લાવર સહિત 31 સ્કૂલને મચ્છરના બ્રીડિંગ મુદ્દે ફટકારાયો દંડ
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 15, 2023 | 12:30 PM
Share

Surat : સુરતમાં આરોગ્ય વિભાગે (Health Department ) કાર્યવાહી હાથ ધરી છે. એલપી, સન ફ્લાવર સહિત 31 સ્કૂલને મચ્છરના બ્રીડિંગ મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગે સુરતની 832 સ્કૂલમાં સર્વે હાથ ધર્યો હતો. ત્યારે તેમણે સ્કૂલોમાંથી ભંગાર દૂર ન કરવાને 39 નોડલ ઓફિસરોને નોટિસ ફટકારી છે. તેમજ રૂપિયા 3700નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-સુરતમાં પાંડેસરા પોલીસે લૂંટના આરોપીઓની શાન ઠેકાણે લાવવા જાહેરમાં સરઘસ કાઢયું, જૂઓ Video

સુરતમાં જુદી જુદી 31 સ્કૂલોના કેમ્પસ આસપાસમાં પાણી ભરાવો તથા ગંદકી મળી હતી. જે રછી જંતુનાશક દવાનો છંટકાવ કરી નકામા ટાયર, ડબ્બા, કાટમાળ, ભંગારને દૂર કરવામાં આવ્યા હતા. જે પથી મચ્છરના બ્રીડિંગ પણ મળી આવતા કાર્યવાહી કરવામાં આવતી હતી.

ચોમાસાને લઈ સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ત્યાં સુરત મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે, ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય રોગો જેવાકે,મલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થવાની સંભાવના વધારે હોય છે.

835 શાળાઓમાં બ્રીડિંગ અંગે ચકાસણી

તેમણે જણાવ્યુ કે આ સંભાવનાને ધ્યાનમાં લઈને કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ કન્ટ્રક્શન સાઈટ, શાળા, કોલેજો હોસ્પિટલ અથવા જે જગ્યાઓ ઉપર લોકો ભેગા થતા હોય ત્યાં ચેક કરવાનો આદેશ આપ્યો હતો. તેને લઇને સુરત આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 835 શાળાઓમાં બ્રીડિંગ અંગે ચકાસણી કરવામાં આવી હતી.જેમાં 31 શાળાઓમાં મચ્છરના બ્રીડિંગ મળ્યા હતા, તે તમામ શાળાઓને નોટિસ આપી તેની સાથે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું કે,  580 હોસ્પિટલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યુ  હતુ. જેમાં 14 હોસ્પિટલોમાં બ્રીડિંગ મળી આવ્યા હતા. તેમને પણ નોટિસ આપી તેમની પાસેથી વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત શહેરની કન્ટ્રક્શન સાઈટ ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે માટે નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી હતી.

તેઓ જેતે સાઈડ ઉપર જ્યાં પાણી ભરવાની શક્યતા હોય ત્યાં રોજેરોજ છેક કરે અને જો અઠવાડિયાથી એક જ સ્થળ ઉપર પાણી ભરાયેલા હોય ત્યારે તેમાં મચ્છરજન્ય રોગોનું બિલ્ડીંગ થવાની સંભાવના હોય ત્યારે તેની ટ્રીકમેન્ટ માટે કોર્પોરેશન સંકલનમાં રહે છે.

ગત અઠવાડિયામાં આવા સાઇડ ઉપરથી કુલ 3 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક સાઈડ ઉપર 40 હાજર રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા અને તેઓને કહેવામાં આવ્યું હતું કે, જો ફરી પછી આ રીતે મચ્છરજન રોગોનું બ્રીડિંગ મળી આવશે તો તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">