AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છુટેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે

રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ અલગ હોવાથી એક સાથે સજા કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નહીં હોવા અંગેનો કાયદાકીય અભિપ્રાય અપાયો છે.

Breaking News : આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છુટેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 3:42 PM
Share

આસારામ (Asaram) વિરુદ્ધના દુષ્કર્મનો કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગે મોટો નિર્ણય લીધો છે. કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે. છ આરોપીને નિર્દોષ છોડવાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરાશે. આસારામને જોધપુરમાં થયેલી અને ગાંધીનગરમાં થયેલી સજાને એક સાથે કાપવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે પિટિશન કરવાનો પણ કાયદાકીય અભિપ્રાય અપાયો છે. રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ અલગ હોવાથી એક સાથે સજા કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નહીં હોવા અંગેનો કાયદાકીય અભિપ્રાય અપાયો છે.

આ પણ વાંચો-Breaking News : આસારામ વિરુદ્ધના દુષ્કર્મનો કેસ, ટ્રાયલ કોર્ટે નિર્દોષ છુટેલા છ આરોપી સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ કરશે

સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં 30 જાન્યુઆરીના રોજ આસારામને દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ સમગ્ર કેસમાં 68 સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

શું હતો ઘટનાક્રમ ?

  • 2013માં સુરતની 2 યુવતીઓએ આસારામ પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ
  • જોધપુર કેસની ઘટના બાદ પીડિતાએ હિંમત બતાવી નોંધાવ્યો કેસ
  • પીડિતાએ આસારામ તેમજ નારાયણ સાઇ સામે લગાવ્યા હતા આક્ષેપ
  • દુષ્કર્મની ઘટના અમદાવાદમાં ઘટી હતી, જ્યારે ફરિયાદ સુરતમાં નોંધાઇ
  • આસારામ, તેની પુત્રી, પત્ની અને સેવિકાઓને પણ આરોપી તરીકે દર્શાવાયા
  • કેસની સુનાવણી દરમિયાન આસારામને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરાયો
  • શરૂઆતનાં સમયમાં કલેક્ટર ઓફિસમાં આસારામની પ્રથમ જુબાની લેવાઈ
  • રિમાન્ડ માટે આસારામને જોધપુરથી ટ્રાન્સફર વોરંન્ટનાં આધારે ગુજરાત લવાયો
  • પોલીસે આસારામને રિમાન્ડ પર લઈ પુછપરછ કરી
  • 2014માં આસારામ પર દુષ્કર્મ કેસમાં ચાર્જશિટ દાખલ કરાઈ
  • 2016માં આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ રજુ કરાઈ
  • 55 ફરિયાદીના અને 13 બચાવપક્ષના મળી કુલ 68 સાક્ષીઓને તપાસ્યા
  • સમગ્ર કેસની ટ્રાયલ પૂર્ણ થતા કેસનો આવશે ચુકાદો

પીડિતાએ શું કર્યો હતો આક્ષેપ ?

  • 1996થી બંને બહેનો અને તેમનો પરિવાર આસારામ આશ્રમ સાથે જોડાયેલા હતા
  • 1996 થી 2001 સુધી તેમને ચુરણહોલમાં રાખવામાં આવ્યા હતા
  • ઘટના બાદ પરિવાર અને પીડિતાને ખુબ જ ડરાવીને રાખવામાં આવતી હતી
  • આસારામ પીડિતાને ભસ્મ કરી નાખવાની આપતો હતો ધમકી
  • શાંતિવાટિકામાં જ આસારામ દુ્ષ્કર્મ આચરવાનું જઘન્ય કૃત્ય આચરતો
  • દેખાવડી યુવતીઓને આસારામ સાધિકાઓ મારફતે બોલાવતો
  • આસારામ દુષ્કર્મ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરાવી હતી
  • અખિલ ગુપ્તા આસારામ આશ્રમનાં શાંતિવાટિકામાં રસોઇયો હતો
  • આસારામ દુષ્કર્મ કેસના મહત્વના 3 સાક્ષીઓની થઈ હતી હત્યા
  • રસોઇયો અખિલ ગુપ્તા, વૈદ્ય અમૃત પ્રજાપતિ અને રાહુલ સચાનની હત્યા
  • સીબીઆઇ હજુ પણ રાહુલ સચાન મર્ડર કેસની કરી રહી છે તપાસ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">