AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા થઇ ક્ષતિગ્રસ્ત, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન

શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ છે. તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.

Breaking News : દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા થઇ ક્ષતિગ્રસ્ત, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 12:50 PM
Share

Dwarka : દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ (flag damaged ) છે. હાલમાં બિપરજોય વાવાઝોડાના સંકટના પગલે ખૂબ જ તેજ પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર (peak of the temple) પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.

આ પણ વાંચો- Cyclone Biparjoy: જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં જગતનો નાથ કાળીયો ઠાકર આ સંકટને ટાળશે તેવી લોકોની શ્રદ્ધા રહેલી છે. જ્યારે જ્યારે ગુજરાત પર કોઈ કુદરતી આફત આવી, ત્યારે ત્યારે જગતમંદિર ઉપર બે ધજા ચડાવવામાં આવી છે. ગઈકાલે વાવાઝોડાને પહોંચી વળવા જગતમંદિરના શિખર પર બે ધજા ચઢાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર ઉપર સલામતીના કારણે જૂની ધજાને એમજ રાખી નીચે બીજી ધજા ચઢાવાય છે.

દ્વારકાધીશ મંદિરમાં બે ધજા ચડે તો સંકટ ટળે તેવું માનવામાં આવે છે. પરંતુ ફૂંકાઈ રહેલા પવનની વચ્ચે સલામતી માટે ધજાને ધ્વજ દંડની જગ્યાએ નીચે ધ્વજ સ્થંભ ઉપર ચઢાવવામાં આવે છે. ત્યારે ‘અડધી કાઠી’ શબ્દ શોક માટેનો પ્રતિક ગણાય છે. જે ભગવાન માટે અયોગ્ય કહેવાય. નીચે ધ્વજા ભગવાનને આજીજી અને વિનંતી માટે ચઢાવાતી હોય છે કે અમે આવા વાતાવરણમાં ઉપર જઈ શકીએ એમ નથી જેથી આપનો ધ્વજ નીચે ફરકાવ્યો છે. જેમાં દિવસમાં ચઢતી બે ધજા ગઈકાલે નીચે ફરકાવી હતી.

આ ધ્વજ દંડ પર નહીં પરંતુ ધ્વજ સ્થંભ પર ચડાવવામાં આવી છે.  જેનાથી ભગવાન આપણી વિનંતી સાંભળે કે આવી આફત આવી રહી છે જેમાંથી ઉગારે તેવી લોકોની ભાવના આ બે ધજા સાથે જોડાયેલી છે.

મહત્વનું છે કે દ્વારકામાં બિપરજોય વાવાઝોડાના કારણે આજે ભારે પવન સાથે ધોધમાર વરસ્યો છે. જેને પગલે ભગવાન દ્વારકાધીશને આજે ધ્વજા ચડાવવામાં નથી આવી. દ્વારકાધીશના મંદિર શિખર ઉપર દરરોજ પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. જેમાં સવારે 3 અને સાંજે 2 ધ્વજા ચડાવાય છે. પરંતુ વાતાવરણ ખરાબ હોવાના કારણે આજે ધ્વજા ચડાવવામાં નથી આવી. જો સાંજે વાતાવરણ શુદ્ધ હશે તો અબોટી બ્રાહ્મણ ધ્વારા ધજા ચડાવવામાં આવશે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">