
રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવામાં આવી હતી. આ તમામ બેઠકની આજે મતગણતરી શરૂ થઈ છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની મંડેર તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના અસ્મિતાબેન નિલેશભાઈ બારીઆનો વિજય થયો છે. આ જીત સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં જે પક્ષ સૌથી વધુ વિજય મેળવશે, તેના માટે 2027ની વિધાનસભા ચૂંટણીનો રસ્તો સરળ બનશે.
ગીર સોમનાથ જિલ્લામાંથી AAP માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આકોલવાડી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ ગોંડલીયાએ જીત મેળવી છે. જેના કારણે પાર્ટીએ અહીં પોતાનું ખાતું ખોલ્યું છે.
પરિણામો બાદ આપ સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જીતને વિકાસના એજન્ડા પર જનતાની મહોર તરીકે જોવામાં આવી રહી છે. બાકીના પરિણામો પર હવે સૌની નજર છે. પરંતુ હાલના ટ્રેન્ડમાં ભાજપ આગળ દેખાઈ રહી છે.
Published On - 1:15 pm, Tue, 28 April 26