AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બિહારનો ગંગા બ્રિજ ધરાશાયી થતા દ્વારકાનો સિગ્નેચર બ્રિજ બનાવનાર કંપની સામે ઊભા થયા સવાલ, કોન્ટ્રાકટ રદ કરવાની વિચારણા નહીં, જુઓ Video

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કંપનીનો કોન્ટ્રાકટ રદ કરવાની કોઈ વિચારણા નથી. કંપની દ્વારા નિર્માણાધીન કામગીરીનું મોનીટરીંગ થઈ રહ્યું છે.

Breaking News : બિહારનો ગંગા બ્રિજ ધરાશાયી થતા દ્વારકાનો સિગ્નેચર બ્રિજ બનાવનાર કંપની સામે ઊભા થયા સવાલ, કોન્ટ્રાકટ રદ કરવાની વિચારણા નહીં, જુઓ Video
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 06, 2023 | 5:21 PM
Share

Devbhumi Dwarka : દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજની કન્સ્ટ્રકશન કંપની સામે સવાલ ઊભા થયા છે. બિહારમાં ગંગા બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ આ સવાલો ઊભા થઇ રહ્યા છે. ગંગા બ્રિજની કંન્સ્ટ્રક્શન કંપની એસ.પી. સિંગલા દ્વારા જ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ થઈ તૈયાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો-Gujarati Video : ભાજપમાંથી છેડો ફાડીને ગયેલા નેતાઓ ફરી ભાજપમાં સામેલ, જે.પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણે કર્યા કેસરિયા

એસ.પી. સિંગલા કંપની દ્વારા બિહારમાં બનાવાયેલા ગંગા બ્રિજના ધરાશાયી થવાથી વિવાદ ઉભો થયો છે.દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજ પણ આ જ કંપની દ્વારા તૈયાર થઇ રહ્યો છે. ત્યારે આ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ થશે કે કેમ તેના પર સવાલ ઊભા થઇ રહ્યા છે. જો કે આ કંપની સાથે કોન્ટ્રાક્ટ રદ કરવાનો સરકારનો કોઇ ઇરાદો ન હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. જેના કેટલાક કારણો સામે આવ્યા છે. દેશમાં 70 જેટલા બ્રિજ છે જે આ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે.

દ્વારકામાં બની રહેલો સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેને લઇને પહેલેથી જ ઇન્સપેક્શન કરવામાં આવી રહ્યુ છે. જે અલગ અલગ 7 સ્પેક્ટ્રમ હોય છે તેને તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બ્રિજ જ્યારે તૈયાર થઇ જશે તે પછી પણ ત્રણ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ જ વડાપ્રધાન દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા આ બ્રિજનું ઉદ્ઘાટન થાય તેવી સંભાવના છે.

હાલમાં એસ.પી. સિંગલા કંપની સામે ઓહાપોહ થઇ રહ્યો છે. જો કે ગુજરાતમાં બનનારા સિગ્નેચર બ્રિજને લઇને સરકાર સ્પષ્ટ રીતે માની રહી છે કે તેમાં કોઇપણ પ્રકારની ક્ષતિ નથી. બ્રિજનું મોનિટરિંગ સતત અધિકારીઓ દ્વારા મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જેથી આ કામગીરી પર કોઇપણ પ્રકારની રોક લગાવવાની કોઇ પણ તૈયારી નથી. જો કે કામગીરીનું નિરીક્ષણ સતત વધારવામાં આવશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">