AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આણંદ કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ, Video વાયરલ થવાને લઈ IAS સામે તપાસ શરુ કરાઈ હતી

આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કલેકટરનો ચાર્જ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હોવાનો પણ આદેશ કરાયો છે.

Breaking News: આણંદ કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ, Video વાયરલ થવાને લઈ IAS સામે તપાસ શરુ કરાઈ હતી
Anand Collector IAS DS Gadhvi
| Updated on: Aug 09, 2023 | 10:49 PM
Share

આણંદથી મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કલેકટરનો ચાર્જ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હોવાનો પણ આદેશ કરાયો છે. IAS અધિકારી મિલિંદ બાપના આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. નવો આદેશ થાય ત્યાં સુધી બાપના ક્લેકટર તરીકેનો ચાર્જ સંભાળશે. ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

ક્લેકટર ડીએસ ગઢવીની ગેરશિસ્ત સામે રાજ્ય સરકારે પગલા લેતા તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.  IAS અધિકારી ગઢવીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.વીડિયોના મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામા આવી હતી. આ દરમિયાન હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે તપાસની શરુઆત કરવામાં આવી છે. સૂત્રો મુજબ સસ્પેન્ડ કરવા અગાઉ પણ ગેરશિસ્ત બાબતે તપાસ શરુ કરવામાં આવી હતી, પ્રાથમિક રીતે માહિતી અને ગેરશિસ્ત જણાતા સરકારે આ નિર્ણય કર્યો છે.

2008 બેચના IAS અધિકારી

અધિકારી ગઢવી 2008 બેચના IAS છે અને તેઓ અગાઉ દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ સિનિયર અધિકારી છે, પરંતુ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો અને જેને લઈ તેઓની સામે રાજ્ય સરકારે આ સંદર્ભમાં પ્રાથમિક માહિતી એકત્ર કરવામાં આવી હતી.

તેમની સામે થયેલા આક્ષેપોના સંદર્ભમાં હવે મહિલા અધિકારીઓની કમિટિ તપાસ કરશે અને જે તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન હુકમ મુજબ કલેક્ટર ગઢવી સામે ગેરવર્તુણક અને નૈતિક ક્ષતિના ગંભીર આક્ષેપો માટે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

ગઢવી સામે આક્ષેપની તપાસ શરુ

આ મામલામાં હવે તપાસ પણ સસ્પેન્ડ કરાયેલા અધિકારી ગઢવી સામે શરુ કરવામાં આવી છે. આ માટે મુખ્ય પ્રધાન કાર્યલાયથી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પાંચ મહિલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુનયના તોમર, મમતા વર્મા, મનીષા ચંદ્રાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Shamlaji: શામળાજીને અલગ તાલુકો બનાવવાનુ સપનુ પુરુ થશે! વિકાસ કમિશ્નરે મહત્વની વિગત માંગતા હાથ ધરાઈ કવાયત

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">