Breaking News: માલવણના અમદાવાદ- કચ્છ હાઇવે ઉપર ટ્રેલર અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 12 ઇજાગ્રસ્ત, માલવણ હાઇ વે પર સર્જાયો અકસ્માતNews
સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ પાસે અમદાવાદ -કચ્છ હાઇવે ઉપર ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને 108 દ્વારા ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રેક્ટરમાં 20 થી વધારે લોકો સવાર હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ પાસે અમદાવાદ -કચ્છ હાઇવે ઉપર ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને 108 દ્વારા ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રેક્ટરમાં 20 થી વધારે લોકો સવાર હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2 died & 12 were injured in a fatal crash between a truck & trailer at Kutch -Ahmedabad Highway#Surendranagar #Gujarat #TV9News pic.twitter.com/DjjDIj3qnK
— Tv9 Gujarati (@tv9gujarati) March 21, 2023
તો બીજી તરફ અમદાવાદમાં પણ ટ્રક પલટી ગઈ હતી. અમદાવાદમાં SG હાઇવે પર કર્ણાવતી ક્લબ સામે મોડી રાત્રે એક ખટારો ઉંધો વળી ગયો હતો. ફાર્મા કંપનીની મશીનરી લઇ જતા ટ્રકે પલટી ખાતા સાઇન બોર્ડ સાથે અથડાયો હતો. ટ્રકે પલટી ખાતા મોંઘી મશીનરી રોડ ઉપર પડી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરને સામાન્ય ઇજા થઈ હતી અન્ય કોઈ જાનહાનિ થઈ નથી.