ગુજરાતી ભજનક્ષેત્રમાં મોટી ખોટ, જાણીતા ભજનિક જગમાલ બારોટનું અવસાન

|

Feb 11, 2021 | 10:58 PM

રાજ્યના જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન થયું છે. જગમાલ બારોટના નિધનથી ગુજરાતી ભજનક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. જગમાલ બારોટ 'કટારી' સહિતના અનેક ભજનથી લોકપ્રિય થયાં હતાં.

ગુજરાતી ભજનક્ષેત્રમાં મોટી ખોટ, જાણીતા ભજનિક જગમાલ બારોટનું અવસાન

Follow us on

રાજ્યના જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન થયું છે. જગમાલ બારોટના નિધનથી ગુજરાતી ભજનક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. જગમાલ બારોટ ‘કટારી’ સહિતના અનેક ભજનથી લોકપ્રિય થયાં હતાં. ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું અવસાન થતાં તેમના શ્રોતાઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. જગમાલ બારોટે અનેક સંતવાણી અને સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. ભજનિક જગમાલ બારોટ ‘કટારી’ અને “હાટડીયે કેમ રહેવાશે ભાઈ” સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી.

 

જગમાલ બારોટ નાનપણમાં અભ્યાસ કરતાં હતા, ત્યારથી જ તેમને પારંપરિક ગીતો ગાવાનો શોખ હતો. જગમાલ બારોટ શાળામાં ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા. સૌરાષ્ટ્રના જગવિખ્યાત સંત બજરંગદાસ બાપા બગદાણાના સાનિધ્યમાં પણ તેમણે અનેક ભજન કાર્યક્રમો કર્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જણાવ્યું કે ક્યારે લાગુ કરવામાં આવશે CAA

Next Article