Breaking News: ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે 1 કરોડની ખંડણીનો નોંધાયો ગુનો, વીડિયો ચેટ, સ્ક્રીન શોટના આધારે કાર્યવાહી

Bhavnagar: ભાવનગર ડમીકાંડમાં યુવરાજસિંહ સામે નામ જાહેર ન કરવા માટે 1 કરોડની ખંડણી માગવાનો ગુનો નોંધાયો છે. રેન્જ આઈજી ગૌતમ પરમારે આ અંગે જણાવ્યુ કે તેમની વીડિયો ચેટ, સ્ક્રીન શોટના આધારે કાર્યવાહી કરવામાંઆવી છે.

Breaking News: ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે 1 કરોડની ખંડણીનો નોંધાયો ગુનો, વીડિયો ચેટ, સ્ક્રીન શોટના આધારે કાર્યવાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 10:02 PM

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી. જે બાદ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી. ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ ઉપરાંત તેમના સાથીદારો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.

યુવરાજસિંહ સામે 1 કરોડની ખંડણી માગવાનો ગુનો નોંધાયો- રેન્જ આઈજી ગૌતમ પરમાર

ભાવનગર ડમીકાંડમાં યુવરાજસિંહની ધરપકડ કરી લેવાઈ છે. યુવરાજની ધરપકડ બાદ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. રેન્જ આઈજીના જણાવ્યા મુજબ ડમીકાંડમાં યુવરાજસિંહ સામે નામ જાહેર ન કરવા માટે 1 કરોડની ખંડણી માગવાનો ગુનો નોંધાયો છે. રેન્જ આઈજી ગૌતમ પરમારે આ અંગે જણાવ્યુ કે યુવરાજે આપેલી માહિતીનું વેરિફિકેશન કરાશે. યુવરાજ અને તેમના માણસોએ પ્રદિપ અને પ્રકાશ પાસેથી 1 કરોડ રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો: Breaking News: ભાવનગર ડમીકાંડમાં મેરેથોન પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની કરાઈ ધરપકડ

ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024

રૂપિયા મળ્યા બાદ યુવરાજે પ્રેસ કોન્ફરન્સમાં પ્રદિપરનું નામ જાહેર આપ્યુ ન હતુ- રેન્જ આઈજી ગૌતમ પરમાર

વધુમાં રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યુ કે યુવરાજે બે વ્યક્તિઓ પાસેથી બળજબરીથી 1 કરોડ લીધા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગરમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ડમીકાંડમાં યુવરાજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં રૂપિયા મળ્યા બાદ પ્રદીપનું નામ આપ્યુ ન હતુ. તેમ પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યુ હતુ.

યુવરાજસિંહની મેરેથોન પૂછપરછ બાદ કરાઈ ધરપકડ

ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. ડમી કૌભાંડ મુદ્દે યુવરાજસિંહ બપોરે 12 વાગ્યે SOG કચેરીમાં હાજર થયા હતા. જે બાદ પોલીસ અધિકારીઓ દ્વારા યુવરાજસિંહનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ દરમ્યાન યુવરાજસિંહે ડમી કાંડમાં સંકળાયેલા વધુ 30 જેટલા નામો પોલીસ સમક્ષ રજૂ કર્યા.

યુવરાજના નજીકના બિપીન ત્રિવેદીએ લગાવ્યા હતા ખંડણી માગવાના આરોપ

ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહની નજીકના ગણાતા બિપીન ત્રિવેદીએ ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે 50 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તોડકાંડની ચેટ પણ તેમણે વાયરલ કરી હતી અને સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતા. આ ઘટના બાદ ડમીકાંડમાં ભાવનગર SOGએ યુવરાજસિંહને સમન મોકલ્યુ હતુ. જેમા પ્રથમ સમનમાં યુવરાજસિંહ હાજર થયા ન હતા અને બીજુ સમન મળતા તેઓ SOG સમક્ષ હાજર થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">