AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર : મનપાએ રૂ.96.27 કરોડનું પુરાંતવાળું બજેટ કર્યું મંજૂર, સત્તાધિશો જૂના પ્રોજેક્ટ પૂર્ણ કરે તેવી લોકમાગ ઉઠી

આ વર્ષે પણ મનપાએ 96.27 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કર્યું છે. જેમાં દરેક વોર્ડમાં રીડિંગ લાઇબ્રેરી, આવાસ યોજના, 11 જેટલા તળાવના વિકાસ કાર્યો અને આવાસ યોજના માટે મહત્તમ જોગવાઈ કરી છે.

ભાવનગર : મનપાએ રૂ.96.27 કરોડનું પુરાંતવાળું બજેટ કર્યું મંજૂર, સત્તાધિશો જૂના પ્રોજેક્ટ પૂર્ણ કરે તેવી લોકમાગ ઉઠી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 9:23 AM
Share

ભાવનગર મનપામાં જૂના પ્રોજેક્ટ પૂર્ણ ન થયા હોવા છતાં નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે બજેટમાં નવા પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. પરંતુ જૂના પ્રોજેક્ટના છેલ્લા ત્રણ-ચાર વર્ષથી શરૂ થયેલા કામ પૂર્ણ થતા નથી અને દર વર્ષે બજેટમાં જૂના કામોના હેડ ખેંચાતા આવતા હોય છે.

આ વર્ષે પણ મનપાએ 96.27 કરોડની પુરાતવાળું બજેટ મંજૂર કર્યું છે. જેમાં દરેક વોર્ડમાં રીડિંગ લાઇબ્રેરી, આવાસ યોજના, 11 જેટલા તળાવના વિકાસ કાર્યો અને આવાસ યોજના માટે મહત્તમ જોગવાઈ કરી છે. ત્યારે વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરતા આક્ષેપ કર્યો છે કે અંદાજ પત્રમાં દર વર્ષે એકના એક હેડ માટે રકમની ફાળવણી કરવામાં આવે છે પ્રોજેક્ટ પૂર્ણ થતા નથી. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જુના પ્રોજેક્ટમાં ફાળવણી કરાઈ છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો,ક્યાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું અને ક્યાં થયું મોંઘું?

શહેરમાં સિક્સલેન, ફલાયઓવર, કંસારા પ્રોજેક્ટ જેવા અનેક વિકાસના કામો છે કે જે અગાઉ બજેટમાં મંજૂર કરાયા છે પરંતુ ત્રણ વર્ષથી કામો પૂર્ણ થતા નથી અને ગોકળગતિ ચાલતાં પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એવામાં મનપાના શાસકોએ સૌપ્રથમ જૂની તમામ જાહેરાતોના કામો પૂર્ણ કરી પ્રજાને સવલતો આપવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ નવા પ્રોજેક્ટ બજેટમાં હાથમાં લેવા જોઈએ તેવી લોકમાગ ઉઠી છે.

શિક્ષણ સમિતિનું 169 કરોડનું બજેટ મંજૂર

ભાવનગર મહાનગરપાલિકા માં સ્ટેન્ડિંગ કમિટીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. એના બજેટમાં રૂપિયા 169 કરોડના સરભર બજેટ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેના ઉપર ચર્ચા પણ થઈ હતી. ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 169.75 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું.

ગયા વર્ષ કરતા આ વર્ષે શિક્ષણ સમિતિના બજેટની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે શિક્ષણ સમિતિ દ્વારા રજુ કરેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુધારા કરાયેલો ન હતો, પરંતુ કોર્પોરેશન શિક્ષણ સમિતિની તમામ શાળાના ધોરણ છ થી આઠ ના બાળકોને નારી ખાતે આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત માટે રૂપિયા 75 લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 169 કરોડના બજેટની ચર્ચા બાદ મહાનગરપાલિકાના 1100 કરોડના બજેટ ની ચર્ચા કરી હતી, જેમાં સીટી એન્જિનિયર, કમિશનર, શોપ, વ્યવસાય વેરો, ગાર્ડન રોશની, એકાઉન્ટ, કોમ્પ્યુટર સીટના વિભાગોની ચર્ચા વિચારણા કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ અંગે પૂછતા તેમણે જણાવેલ કે મહાનગરપાલિકાનું બજેટ 1100 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં આવનારા દિવસોમાં શિક્ષણથી લઈને રોડ રસ્તા ડ્રેનેજ આરોગ્ય વિભાગ ની સાથે શહેરના જુદા જુદા વિકાસ માટે જુદી જુદી દિશામાં ખર્ચ કરવા માટે બજેટ રજૂ કરવામાં આવેલું હતું અને તે સામાન્ય ફેરફાર સાથે મંજૂર પણ કરવામાં આવ્યું હતું.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">