Bhavnagar: સુવિધાઓ કરતાં દુવિધાઓ વધી, શહેરમાં મહાનગરપાલિકાના આયોજનના અભાવે લોકો ત્રાહિમામ

|

Jul 01, 2021 | 11:11 PM

ભાવનગર શહેરમાં દર ચોમાસામાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ત્યારે આ વર્ષે મનપા (Bhavnagar municipal corporation)ના આયોજનના અભાવને કારણે સમસ્યાઓએ માજા મૂકી છે.

Bhavnagar: સુવિધાઓ કરતાં દુવિધાઓ વધી, શહેરમાં મહાનગરપાલિકાના આયોજનના અભાવે લોકો ત્રાહિમામ
Bhavnagar : વિકાસના કાર્યોને લીધે આડેધડ ખાડા ખોદાયા છે

Follow us on

Bhavnagar: ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આયોજનના અભાવે દર ચોમાસામાં પ્રજાજનોને સમસ્યાનો સામનો કરવાનો આવે છે. ત્યારે આ વર્ષે ચોમાસામાં સમસ્યાઓ ઘટવાના બદલે વધી છે. જેમાં અમદાવાદથી શહેર તરફ આવતા રસ્તા પરનો પુલ તૂટ્યો, સિક્સ લેનનું કામ બંધ અને પ્રવેશદ્વારના રોડ પર ઓવરબ્રિજના કામ શરૂ થતાં ખાડા અને ચોમાસામાં ભરાતા પાણીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આમ છતાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.

 

ભાવનગર શહેરમાં દર ચોમાસામાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ત્યારે આ વર્ષે મનપા (Bhavnagar municipal corporation)ના આયોજનના અભાવને કારણે સમસ્યાઓએ માજા મૂકી છે. જેમાં ભાવનગરથી અમદાવાદ જતો અને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાંથી ભાવનગર આવતા રોડ પર શહેરથી એકદમ નજીક એવા નારી ગામ પાસે પુલમાં બહુ મોટું ગાબડુ પડતા તે પુલ પરથી પસાર થવું જોખમી થઈ જતાં તે રોડને બંધ કરવો પડેલ છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

આ સિવાય શહેરમાં પ્રવેશતા જ સિક્સ લેનનું અધૂરું કામ બંધ હાલતમાં છે. લોકોની વર્ષોથી માંગણી એવા ઓવરબ્રિજનું કામ વર્ષો પછી શરૂ તો કરવામાં આવ્યું, પરંતુ RTOથી દેસાઈ નગર સુધી બનતા ઓવરબ્રિજના બન્ને બાજુ રસ્તો નાનો છે. ભાજપ શાસકોના સંકલનના અભાવને કારણે રોડ મોટો કરવા ટેમ્પરરી જગ્યા પણ રેલવે આપતી નથી. જેને લઈને ઓવરબ્રિજના કામને લઈને સુવિધાને બદલે દુવિધા ઉભી થઈ છે.

 

વિકાસના કાર્યોને લીધે આડેધડ ખાડા ખોદાયા છે, ત્યારે ચોમાસાની સિઝનમાં પાણી ભરવા સહિતની ઘણી સમસ્યાઓનો લોકોને સામનો કરવો પડશે. આ અંગે મેયર સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં જણાવ્યું કે પુલનું કામ તાત્કાલિક શરૂ કરાવેલ છે. રેલવે સાથે વાટાઘાટો ચાલુ છે કે ઓવરબ્રિજના કામને લઈને લોકોને તકલીફ ન પડે તે માટે થઈને રસ્તા માટે જમીન આપે. બીજી તરફ સિકસ લેન માટે પણ અડચણ રૂપ ગેરકાયદે બાંધકામોમાં ડીમોલેશનની કામગીરી શરૂ છે.

 

આ પણ વાંચો : Jamnagar: એક મહિલા કોંગી કોર્પોરેટર બેસી ગયા ગટરની કેનાલ પર! કારણ જાણવા જુઓ વીડિયો

Published On - 11:10 pm, Thu, 1 July 21

Next Article