Bhavnagar : દિલ્હીના સીએમ કેજરીવાલે લીધી ઝેરી દારૂકાંડના અસરગ્રસ્તોની મુલાકાત, મૃતકો માટે વળતરની માંગ કરી

|

Jul 26, 2022 | 10:22 PM

ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal)  ભાવનગરમાં બોટાદના કથિત લઠ્ઠાકાંડના અસર ગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે સવાલ કર્યો કે  ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ કેવી રીતે આવે છે.

ગુજરાતના (Gujarat) બોટાદમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં(Hooch Tragedy) 36 લોકોના મોત થયા છે. જેના પગલે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે, જો કે આ દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  ભાવનગરમાં બોટાદના કથિત લઠ્ઠાકાંડના અસર ગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે સવાલ કર્યો કે  ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ કેવી રીતે આવે છે. તો તેમજ આ કેવી ચાલે છે. તેમજ અમે માંગ કરીએ છે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને વળતર આપવામાં આવે. ગુજરાત નશાબંધી હોવા છતા ખુલ્લેઆમ દારૂ વેચાઈ છે તે પણ આશ્ચર્ય ઉપજાવે છે.

આ દરમ્યાન   SITના સભ્યો, એસ.એમ.સીનાં, એસપી નિર્લિપ્ત રાય, રેન્જ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી કરણરાજસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ રોજીદ ગામ પહોંચ્યા છે. એસઆઇટી દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઝડપથી સમગ્ર ઘટનાનો અહેવાલ સોંપવામાં આવશે.

આ દરમ્યાન આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં 10 લોકોના બ્લડ ટેસ્ટના રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં 10માંથી એક પણ રિપોર્ટમાં દારૂનું તત્વ મળ્યું નથી. તેમજ લોહીમાં સીધું જ મિથેનોલ જોવા મળ્યું છે. જેના પગલે એક થીયરી મુજબ પાણીમાં જ કેમિકલ ભેળવીને દારૂનું નામ આપવામાં આવ્યું હોવાનો ખુલાસો છે. તેથી પોલીસ હવે તેને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ ગણાવી રહી છે

Next Video