AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર કર્યાં આકરા પ્રહાર

અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાના (Manish Sisodiya) વખાણ કરતા કહ્યું કે દેશ અને દિલ્હીના સૌથી સારા શિક્ષણમંત્રીને હું સાથે લઈને આવ્યો છું કેજરીવાલે કેટલીક ગેરેન્ટીઓ આપી હતી જો અમારી સરકાર આવશે તો GISFS ના લોકોને પણ કહ્યું એક મહિનામાં તમને તમામ હકો મળી જશે.

Bhavnagar: દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર કર્યાં આકરા પ્રહાર
Bhavnagar: Delhi Chief Minister Arvind Kejriwal
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 23, 2022 | 10:13 PM
Share

ભાવનગરમાં બેરોજગારી મુદ્દે સંવાદ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું  (Arvind Kejriwal) કે ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા તેટલા પેપર ફૂટે છે. જો AAPની સરકાર બનશે તો પેપર ફોડનારાને જેલમાં મોકલીશું. સાથે જ 2015થી જેટલા પેપર ફૂટ્યા છે તેની પણ તપાસ કરાવીશું. દિલ્લી  (Delhi) આપના  (AAP)ના સંયોજક અને દિલ્લીના અરવિંદ કેજરીવાલને શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા આજે ભાવનગરમાં (Bhavnagar) શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે યુવાનો સાથે સંવાદ કરવા ભાવનગર આવ્યા હતા, આજે તેમની સાથે આપના રાષ્ટ્રીય મહામંત્રી ઈસુદાન ગઢવી તેમજ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રવીણ રામ તેમજ યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા.

અરવિંદ કેજરીવાલ એરપોર્ટ ઉપરથી સીધા જ ભાવનગર નિલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવારને મળવા ગયા હતા અને તેમને આ પરિવારના યુવરાજ જયવીરરાજ સિંહ સાથે પણ મુલાકાત લીધી હતી, જો કે તેમની યુવરાજ સાથેની મુલાકાતથી આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો ઉભા થશે તેમ મનાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે બાદમાં મેઘાણી હોલ ખાતે આવીને ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા, તેમને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તેવી પણ માંગ કેન્દ્ર સરકાર પાસે કરી હતી.

અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાના (Manish Sisodiya) વખાણ કરતા કહ્યું કે દેશ અને દિલ્હીના સૌથી સારા શિક્ષણમંત્રીને હું સાથે લઈ ને આવ્યો છું, કેજરીવાલે કેટલીક ગેરેન્ટીઓ આપી હતી. જો અમારી સરકાર આવશે તો GISFSના લોકોને પણ કહ્યું એક મહિનામાં તમને તમામ હકો મળી જશે તેમ કહ્યું હતું, અરવિંદ કેજરીવાલે લોકોને આશ્વાસન આપ્યું હતું કે કે ડિસેમ્બરમાં આપની સરકાર બનશે અને ફેબ્રુઆરીમાં તલાટી ની પરીક્ષા અને એપ્રિલમાં તમામ પાસ થયેલા તલાટીઓને નોકરી મળી જશે તેમને યુવાનોને મીડિયાના માધ્યમને બદલે આ ચૂંટણી અમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી લડીશું તેમ કહ્યું હતું, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા તેટલા અહીં પેપર ફૂટે છે અને હવે ડિસેમ્બર બાદ કોઈની પેપર ફોડવાની તાકાત નહીં રહે તેમ જણાવ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે 2015ના વર્ષ બાદ જેટલા પેપર ફૂટ્યા છે તે તમામ ફાઈલો અમારી સરકાર આવશે તો ખોલીશુ અને પેપર ફોડનાર ને જેલ ભેગા કરીશું.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">