Bhavnagar: ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારની બુમરાણો ઉઠી

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારની બુમરાણો ઉઠી છે. વર્ષ 2015માં મનપા દ્વારા પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પાંચ ગામો પૈકી અકવાડા ગામમાં તમામ સુવિધા પુરી પાડવાનો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 30, 2021 | 11:59 PM

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારની બુમરાણો ઉઠી છે. વર્ષ 2015માં મનપા દ્વારા પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પાંચ ગામો પૈકી અકવાડા ગામમાં તમામ સુવિધા પુરી પાડવાનો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા ઉભી થતાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો ઉઠાવી રહ્યા છે.

 

 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2015માં પાંચ ગામોને મનપામાં ભેળવવામાં આવ્યા હતા અને તે સમયે આ પાંચેય ગામોમાં વિકાસ કરીશું તેવું કમિટમેન્ટ આપેલ અને આ ગામોમાં લોકોની મૂળભૂત જરૂરિયાત એવા રોડ, રસ્તા, ડ્રેનેજ અને પાણીની સુવિધા આપવાનો વાયદો કરેલ, આ પાંચ ગામોમાંનું એક ગામ છે અકવાડા આ ગામમાં મનપાના શાસકો દ્વારા પાણીની સુવિધાની વાત તો થયેલ પણ પાણીની સુવિધા ના બદલે અસુવિધા ઉભી થવા પામેલ છે. આ ગામમાં હાલમાં 10થી 15 દિવસે પાણી આવી રહ્યું છે જેને લઈને ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો અને ખાસ કરીને મહિલાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

 

આ ગામની મહિલાઓને દૂર આવેલ તલાવડીથી પાણી લાવવું પડે છે. આખા ગામમાં પાણીની લાઈન ના નામે ખોદકામ કરેલ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે અને કામ પૂર્ણ થતું નથી કે લોકોને પાણી મળતું નથી, આ ગરમીમાં પાણીની તંગી ખૂબ મોટી સમસ્યા ગણી શકાય, ત્યારે મનપામાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો આ ગામની પાણીની સમસ્યા દૂર કરી પોતાનું પાણી બતાવે તો આ ગામના લોકોને શાંતિ થાય.

 

આ પણ વાંચો : Maharashtra Corona Update : સમગ્ર દેશના કોરોનાના પાંચ ગણા કેસો મહારાષ્ટ્રમાં, ઉત્તરમાં પંજાબે વધારી ચિંતા

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">