BHAVNAGAR : ધોરણ 9થી 12ની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પુછાશે, જાણો આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ શું જણાવે છે ?

ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૩૦ ટકા પુછાશે, જ્યારે ૭૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પુછાશે. જેને પરિણામે રાજ્યમાં કુલ ૨૯ લાખ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે.

BHAVNAGAR : ધોરણ 9થી 12ની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પુછાશે, જાણો આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ શું જણાવે છે ?
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 4:51 PM

ભાવનગર (Bhavnagar) શહેર સહિત ગુજરાત રાજ્યમાં ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર(Gujarat Government)ના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, કે વિદ્યાર્થીઓ ધોરણ ૯ થી ધોરણ-૧૨ સુધી અગાઉ જે ૨૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો (Objective questions)પૂછાતા હતા. તે હવે ૧૦ ટકા વધારીને ૩૦ ટકા પ્રશ્નો હેતુલક્ષી (Objective questions) એટલે કે મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો એમ.સી.ક્યુ પુછાશે. આ જ રીતે 80% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાતા હતા. તે હવે ૧૦ ટકા ઘટીને ૭૦ ટકા જ વર્ણનાત્મક પ્રશ્નો પૂછવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયથી ભાવનગર શહેર અને જિલ્લાની 436 જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કુલ ૧.૩૫ લાખ (Student)વિદ્યાર્થીઓને ૨૦૨૨માં લેવાનારી પરીક્ષામાં ફાયદો થશે.

ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૩૦ ટકા પુછાશે, જ્યારે ૭૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પુછાશે. જેને પરિણામે રાજ્યમાં કુલ ૨૯ લાખ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો થશે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ શૈક્ષણિક સત્રને હાલની સ્થિતિ ધ્યાને લેતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ચિંતા અને વાલીઓનો પણ તણાવની પરીક્ષા પદ્ધતિને લઇને ઘટે તે દિશામાં ચિંતા કરતા ચાલુ શૈક્ષણિક વર્ષમાં હવેથી લેવાનાર આગામી ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને હાલની અમલી પદ્ધતિમાં બદલાવ કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેને લઇને છેલ્લા પોણા બે વર્ષથી કોરોનાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર થયેલી અસરનું નિરાકરણ અમુક અંશે આ પદ્ધતિથી આવશે તેવું ભાવનગરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જણાવી રહ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી 436 હાઇસ્કુલ અને ખાસ તો ધોરણ-10 અને ધોરણ-12માં દર વર્ષે બોર્ડની પરીક્ષા આવતા ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે, ધોરણ 12 સાયન્સમાં ૫૦ ટકા ઓએમઆર અને ૫૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવાની પદ્ધતિ રહેશે, ૩૦ ટકા અને ૭૦ ટકા વર્ણનાત્મક ના મળીને સો ટકા લેખે પેપર પુછાશે, જેમાં જનરલ વિકલ્પ પણ આપવામાં આવશે. રાજ્યના વિદ્યાર્થીઓનું ભાવિ જોઇ અને જેઇઇ અને નીટની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં સારો દેખાવ કરી શકે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને લઈને ભાવનગર જિલ્લાના અનેક વિદ્યાર્થીઓને આ વખતની પરીક્ષામા બહુ મોટો ફાયદો થશે, કોરોના સમયમાં અભ્યાસ બગડ્યો. પરંતુ ૨૦૨૨ ની પરીક્ષામાં ખૂબ મોટો ફાયદો થશે તેવું વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળા સંચાલકો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">