AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માનહાનિ કેસમાં Rahul Gandhi ના સમર્થનમાં કોંગી કાર્યકરો સુરત રવાના થયા,ભરૂચ પોલીસે વાહનો રોકી 250 થી વધુની અટકાયત કરી લીધી, જુઓ Video

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ભરૂચ નગર પાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી,ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, અરવિંદ દોરાવાલા અને   હેમેન્દ્ર કોઠીવાળા, ઇબ્રાહિમ કલકલ સહીત 250 થી વધુ કોંગી કાર્યકરો અને અગ્રણીઓની ભરૂચ જિલ્લા પોલીસે અટકાયત કરી છે.

માનહાનિ કેસમાં Rahul Gandhi ના સમર્થનમાં કોંગી કાર્યકરો સુરત રવાના થયા,ભરૂચ પોલીસે વાહનો રોકી 250 થી વધુની અટકાયત કરી લીધી, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 1:51 PM
Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત પહોંચી રહ્યા છે. માનહાનિના કેસમાં ગાંધીને મળેલી બે વર્ષની સજા સામે રાહુલ આજે અપીલ દાખલ કરી રહ્યા છે. 23 માર્ચ 2019 ના રોજ સુરતની અદાલતે તેને ‘મોદી અટક’ પર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવા હતા. આ મામલે તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના ચુકાદા બાદ 24 માર્ચે રાહુલનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું અને તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવેલો સરકારી બંગલો પાછો ખેંચવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.આજે રાહુલગાંધીના સમર્થનમાં સુરત રવાના થવાની તૈયારી કરી રહેલા કોંગી કાર્યકરોને ભરૂચ પોલીસે અટકાવી 250 થી વધુની અટકાયત કરી હતી.

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર કોંગી કાર્યકરોને અટકાવાયા, જુઓ video

આ પણ વાંચો : Gujarati Video : મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવાશે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કશ્મીરથી લાવશે અમદાવાદ

ભરૂચ પોલીસે 250 થી વધુની અટકાયત કરી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ મોટી સંખ્યામાં સુરત જવા રવાના થયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ભરૂચ નગર પાલિકાના વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી,ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, અરવિંદ દોરાવાલા અને   હેમેન્દ્ર કોઠીવાળા, ઇબ્રાહિમ કલકલ સહીત 250 થી વધુ કોંગી કાર્યકરો અને અગ્રણીઓની ભરૂચ જિલ્લા પોલીસે અટકાયત કરી છે.

congress

આ પણ વાંચો : Banaskantha : આંજણા ચૌધરી સમાજનું યુવાનોને ફેશનેબલ દાઢી ન રાખવા ફરમાન, દાઢી રાખશે તો રૂ.51 હજારનો દંડ

પોલીસ હેડવર્ટરમાં સૂત્રોચ્ચાર કરાયા

અટકાયત કરી કોંગી કાર્યકરોને ભરૂચ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા. પોલીસે આ અગાઉ દહેજ બાયપાસ રોડ સહીત જિલ્લામાંથી સુરત જવાની તૈયારી કરી રહેલા કોંગી કાર્યકરોને રસ્તામાંથી અટકાવ્યા હતા. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં ઈન્ડિયન પીનલ કોડની કલમ 499 અને 500 અંતર્ગત સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે.આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીએ સાંસદપદ ગુમાવવું પડ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">