ભરૂચના મુસાભાઈ છે વિચિત્ર ભૂખનો શિકાર જુઓ વીડિયો

|

Apr 27, 2019 | 3:12 AM

સ્વાદના ચટાકા દરેકને આકર્ષિત કરતા હોય છે કોઈને મીઠું ભોજન ભાવતું હોય છે તો કોઈને તીખું પણ ભરૂચમાં એક એવા વ્યક્તિ રહે છે જેમને અનોખા ભોજનની તલપ રહેતી હોય છે. ભરૂચના મુસાભાઈ ધોબીને આગની ભૂખ લાગે છે જેને સંતોષવાની તેમની રીત પણ અનોખી છે. આગનું તણખલુ શરીરને સ્પર્શે તો આપણને દર્દ થાય છે પણ તણખલુ […]

ભરૂચના મુસાભાઈ છે વિચિત્ર ભૂખનો શિકાર જુઓ વીડિયો

Follow us on

સ્વાદના ચટાકા દરેકને આકર્ષિત કરતા હોય છે કોઈને મીઠું ભોજન ભાવતું હોય છે તો કોઈને તીખું પણ ભરૂચમાં એક એવા વ્યક્તિ રહે છે જેમને અનોખા ભોજનની તલપ રહેતી હોય છે.


ભરૂચના મુસાભાઈ ધોબીને આગની ભૂખ લાગે છે જેને સંતોષવાની તેમની રીત પણ અનોખી છે. આગનું તણખલુ શરીરને સ્પર્શે તો આપણને દર્દ થાય છે પણ તણખલુ નહિ પરંતુ આગ કોઈનું ભોજન હોય તો કલ્પના માત્રથી દર્દનો અહેસાસ થાય પણ આ હકીકત છે. ભરૂચના શેરપુરા ગામના મુસાભાઈ ઇબ્રાહિમ ધોબી અનોખી શારીરિક ક્ષમતા સાથે વિચિત્ર ભૂખનો શિકાર છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મુસાભાઈ ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસે ત્યારે પ્લેટમાં શાક રોટલી કે દાળ – ભાત , મિસ્ટાન નહિ પરંતુ માચીસની ડબ્બીઓ લાવવામાં આવે છે. આ માચીસ મુસાભાઈની આગની ભૂખ સંતોષવા માટે આપવામાં આવે છે. મુસાભાઈ એક પછી એક સળગતી દીવાસળીઓ મોં માં રાખી પોતાની આગની ભૂખ સંતોષે છે. મુસાભાઈએ શરૂઆત એક બે સળગતી દીવાસળીથી કરી હતી ત્યારબાદ 10 થી 20 દીવાસળી એકસાથે સળગાવી મોં માં રાખે છે.

મુસાભાઈ ઇબ્રાહિમ ધોબી અનુસાર જેમ આપણને ભોજન માટે ભૂખ લાગે છે તેમ એમને આગની ભૂખ લાગે છે. દરરોજ 3-4 બોક્સ દીવાસળી સળગાવી મોં માં મૂકે તો જ તેમને સંતોષ થાય છે. છેલ્લા 15 વર્ષથી આ ભૂખનો તેઓ શિકાર છે. એક દીવાસળીથી શરૂઆત બાદ આજે એકસાથે 30 થી 35 દીવાસળી સળગતી મોં માં મુકવા છતાં તેમને ઇજા થતી નથી.

મુસાભાઈનો પરિવાર અને મિત્રો પણ તેમની વિચિત્ર ભૂખથી આશ્ચર્યચકિત છે. તેમને આગનો ભોજન લેતા જોવા ઘણીવાર મિત્રો ખાસ તેમના ઘરે પહોંચે છે. મુસાભાઈનો દાવો છે કે કોઈ દવા કે ઝહેર પણ તેમને અસર કરતા નથી.

મુસાભાઈના મિત્ર વસીમ મલેક અનુસાર તેઓ બાળપણથી જોતા આવ્યા છે. મુસાભાઈ અસાધારણ વ્યક્તિ છે, મુસાભાઈને માત્ર આગ નહિ પરંતુ દવા અને ઝહેર પણ અસર કરતી ન હોવાનો તેમનો દાવો છે. જેમની શારીરિક રચના અને ક્ષમતા અનોખી છે. મુસાભાઈની આગની ભૂખ ચોક્કસ સંશોધનનો વિષય જણાઈ રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article