ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના કેસ 1,800 સુધી પહોંચી ગયાં છે. સરકારી કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહયાં છે. ભરૂચના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર મેહ સાવન કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં મહેસુલ વિભાગની કચેરીને ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરાય છે.
મહેસુલ વિભાગમાં રૂટિન કામ માટે અનેક અરજદારોની અવરજવર રહેતી હોય છે ત્યારે અધિકારી કઇ રીતે સંક્રમિત થયા અને તેમના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું તેની માહિતી મેળવવા પણ પ્રયાસ કરાઈ રહ્યા છે. મામલતદાર કચેરી બંધ રહેવાના કારણે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો બીજી તરફ કચેરીને સેનીટાઇઝ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:51 pm, Tue, 15 September 20