Bharuch : અસહ્ય મોંઘવારી સામે ટકી રહેવા આમઆદમી ભગવાનની શરણે પહોંચ્યો,જાણો દેવું ઉતારવા લોકોએ શું કર્યું?

|

Oct 15, 2021 | 6:54 PM

કપરા કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર બનવા સાથે આર્થિક ભીંસમાં સપડાતા દેવાના ડુંગરો તળે દબાયા છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂર થી લોકો ઋણ મુક્ત થવા અનોખો ટુચકો અજમાવે છે.

Bharuch : અસહ્ય મોંઘવારી સામે ટકી રહેવા આમઆદમી ભગવાનની શરણે પહોંચ્યો,જાણો દેવું ઉતારવા લોકોએ શું કર્યું?
Sindhvai Temple - Bharuch

Follow us on

હાલ મોંઘવારી આમ આદમીને કમરતોડ ફટકો મારી રહી છે. કોરોનાના ભરડામાંથી હજુ અર્થતંત્ર બહાર નથી આવ્યું ત્યાંતો મોંઘવારી અસહ્ય બની રહી છે.  કોરોનાએ લોકોને શારીરિક કરતા આર્થિક નુકશાન વધુ કર્યું છે. કડક લોકડાઉન અને પ્રતિબંધોના કારણે લોકોના વેપાર રોજગારને ભારે નુકશાન પહોંચ્યું છે. ઘણા વેપારના ટ્રેન્ડ બદલાયા છે જેના કારણે અનેક લોકોના રોજગાર છીનવાયાછે. મુશ્કેલી સમયે માનવી એક આશરો કુદરત તરફ જરૂર શોધે છે. દેવામુક્ત બનવાના પ્રયાસરૂપે આજે ભરૂચવાસીઓએ એક અનોખો ટુચકો અજમાવ્યો હતો.

કપરા કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર બનવા સાથે આર્થિક ભીંસમાં સપડાતા દેવાના ડુંગરો તળે દબાયા છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂર થી લોકો ઋણ મુક્ત થવા અનોખો ટુચકો અજમાવે છે. મંદિરના પટાંગણમાં આવેલ સમી વૃક્ષની નખથી છાલ ઉતારી માતાજીને અર્પણ કરનાર દેવા મુક્ત બનતા હોવાની માન્યતાને અનેક લોકોએ અનુસરી હતી.

દશેરા વિજયાદશમીના પર્વએ ભરૂચમાં દેવું ઉતારવા અનોખી પૂજા થાય છે. શહેરમાં સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માન્યતા સાથે અનેક લોકો નશીબ અજમાવવા આસ્થાભેર ઉમટી પડે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે ઘણા લોકોની નોકરી છીનવાઈ જવા સાથે વેપાર- ધંધા પણ ઠપ થઈ ગયા હતા. કારમી મોંઘવારીમાં માત્ર કરકસરનો કિમિયો કારગર નહિ નિવડતા હવે નસીબ અજમાવવા આમઆદમી અવનવા નુસખા અને માન્યતાઓનાં જોરે ભગવાનનાં દ્વાર ખટખટાવી રહ્યો છે.

દેવું ઉતારવાની અને ઘર-પરિવારમાં કાયમ બરકત રહે તેવી એક માન્યતા વિજયાદશમીએ ભરૂચ શહેરમાં આવેલા સિંધવાઇ માતાનાં 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. માન્યતા મુજબ સિંધવાઇ માતાનાં મંદિરમાં આવેલા સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી તે આસતરીના પાન સાથે માતાને અર્પણ કરવામાં આવે તો શ્રદ્ધાળુનું દેવું દૂર થવા સાથે ધન લાભ થાય છે.

સૈકાઓ જૂની માન્યતાને અનુસરીને માતાનાં આશીર્વાદ સાથે દેવા મુકત થવા જિલ્લા ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડી શ્રદ્ધામાં ગળાડૂબ બની માન્યતા મુજબ પૂજાવિધી કરે છે. વિજયાદશમીએ અપાર શ્રદ્ધા સાથે મંદિરે ટુચકો અજમાવી મોંઘવારીનાં સમયમાં માતાજી સમક્ષ પ્રાર્થના કરવા ભરૂચમાં શ્રદ્ધાળુઓ ઉમટવાનાં શરૂ થઇ ગયાં છે. સમી સાંજે આ માન્યતા મુજબ સમી વૃક્ષની છાલ ઉખાડી આસ્તરી ના પાન માતાને અર્પણ કરવા સિંધવાઈ મંદિરે કતારો લાગી ગઈ હતી.

 

આ પણ વાંચો :  ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીમાં એક કેમિકલ કંપનીમાં આગ લગતા 3 મજુરો દાઝયા

આ પણ વાંચો : “આ મંદિર વેચવાનું છે”, અશાંતધારો લાગુ હોવા છતાં વર્ષોથી રહેતા લોકો ઘર-બાર વેંચવા મજબૂર બન્યા

 

Published On - 6:53 pm, Fri, 15 October 21

Next Article