BHARUCH : સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો, કયું પરિબળ કરી રહ્યું છે અસર?

|

Jan 16, 2022 | 6:01 AM

ભરૂચમાં 13 જાન્યુઆરીએ મહત્તમ કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 13 જાન્યુઆરીએ 308 દર્દીઓ નોંધાયા હતા

BHARUCH : સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો, કયું પરિબળ કરી રહ્યું છે અસર?
ભરૂચમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત બીજા દિવસે ઘટાડો

Follow us on

રાજ્યમાં કોરોના(Corona)ની ત્રીજી લહેર સાથે કોરોના સંક્રમિતઓની સંખ્યામાં ચિંતાજનક સ્તરે ઉછાળા બાદ ફરી એકવાર સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે જોકે દર્દીઓની સંખ્યામાં ઘટાડો રજાઓ દરમ્યાન ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો છે કે ખરેખર સંક્રમણ ઘટ્યું છે તે મામલો અભ્યાસ માંગી રહ્યો છે.

કોરોનની બીજી લહેરના ઘાતક પરિણામોએ લોકોને ભયભીત કર્યા હતા. મહામારીએ રીતસરનું મોતનું તાંડવઃ સર્જ્યું હતું. આ લહેરની અસર ઓછી થયા બાદ સ્થિતિ સામાન્ય થતી નજરે પડવા લાગી હતી. કોરોના વેક્સીનનું અભિયાન પણ તેજ બનતા કોરોનાને જાકારો મળ્યો હોવાનું લોકો માનવ લાગ્યા હતા પરંતુ સ્થાનિક ચૂંટણીઓ અને લગ્ન સીઝન બાદ ફરી એકવાર કોરોને માથું ઉચક્યું છે.

રાજ્યમાં આજે 15 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે..જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે.તો એક જ દિવસમાં 5,404 લોકો કોરોના મુક્ત થયા છે. ભરૂચમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ૬૭ નોંધાઈ છે. જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 693 છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક નજર ત્રીજી લહેર દરમ્યાન કેસની નોંધાયેલી સંખ્યા ઉપર કરીએ

Date Case
26-Dec 1
31-Dec 9
3-Jan 16
5-Jan 39
7-Jan 50
9-Jan 68
11-Jan 92
12-Jan 217
13-Jan 308
14-Jan 118
15-Jan 67

 

દર્દીઓની સંખ્યાની પેટર્નને જોતા જાન્યુઆરુ 2022 ની શરૂઆત સાથે સતત કેસમાં વધારો થતો નજરે પડ્યો હતો. 13 જાન્યુઆરીએ સૌથી વધુ 308 કેસ ભરૂચમાં નોંધાયા હતા. આ અગાઉ 12 જાન્યુઆરીએ 217 જયારે 11 જાન્યુઆરીએ 92 કેસ નોંધાયા જે મુજબ આ દિવસો દરમ્યાન સતત કેસમાં બમણો વધારો થયો તેમ કહી શકાય.

 

બે દિવસથી કેસમાં ઘટાડો

13 જાન્યુઆરીએ મહત્તમ કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 13 જાન્યુઆરીએ 308 દર્દીઓ નોંધાયા બાદ 14 જાન્યુઆરીએ ઉતરાયણ પર્વના દિવસે અડધાથી વધુ દર્દીઓની સંખ્યામાં ઘટાડા સાથે 118 અને આજે 15 જાન્યુઆરીએ 67 કેસ નોંધાયા છે.

 

દર્દીઓની સંખ્યામાં અચાનક ઘટાડાનું કારણ શું?

છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઘટાડા પાછળ ક્યુ પરિબળ અસર  કરી રહ્યું છે તે મૂંઝવણ છે.  અચાનક કેસમાં ઘટાડા પાછળ રજાઓના કારણે ટેસ્ટિંગમાં ઘટાડાને કારણભૂત માનવામાં આવે છે તો બીજી તરફ ત્રીજી લહેર દરમ્યાન કોરોનની ગંભીર અસર ન દેખાતા લોકો ટેસ્ટિંગમાં રુચિ ઓછી દેખાડતા હોવાના મામલા પણ સામે આવી રહયા છે.

 

આ પણ વાંચો : ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો, નવા 9177 કેસ નોંધાયા

 

આ પણ વાંચો :  BHARUCH : વિડીયો વાઇરલ થતાં નેતાજી સલવાયા, લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવનાર LJP ઉપપ્રમુખ સહીત 6 સામે ગુનો નોંધાયો

Next Article