Bhakti: આ રીતે કરો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ, પૂર્ણ થશે તમામ અભિલાષ

Bhakti: શ્રીહરિ વિષ્ણુનું (vishnu) તો સ્મરણ માત્ર જ દરેક સંતાપોથી મુક્તિ અપાવનારું છે. એમાંય જો આસ્થા સાથે શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો શ્રદ્ધાળુઓના જીવનના તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે.

Bhakti: આ રીતે કરો વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ, પૂર્ણ થશે તમામ અભિલાષ
વિષ્ણુ સહસ્ત્રનામ મહિમા
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 04, 2021 | 4:10 PM

Bhakti: શ્રીહરિ વિષ્ણુનું (vishnu) તો સ્મરણ માત્ર જ દરેક સંતાપોથી મુક્તિ અપાવનારું છે. એમાંય જો આસ્થા સાથે શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો શ્રદ્ધાળુઓના જીવનના તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે. જ્યારે પ્રભુના એક ‘નામ’ માત્રમાં આટલું સામર્થ્ય હોય, ત્યારે વિચાર કરો કે તેમના ‘સહસ્ત્ર’ નામ સ્તોત્રમાં કેટલી શક્તિ હોવાની ? કહે છે કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર એટલે તો અનેક પ્રકારના તેમજ અલભ્ય ફળની પણ પ્રાપ્તિ કરાવનારો સ્તોત્ર !

હકીકતમાં વિષ્ણુસહસ્ત્રનામમાં કળિયુગના તમામ કષ્ટોને નષ્ટ કરવાની ક્ષમતા છે. આ અત્યંત કલ્યાણકારી પાઠ મનને શાંતિ પ્રદાન કરે છે. તે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારો છે. તેનામાં રોગમુક્તિનું પણ સામર્થ્ય છે. આયુર્વેદના જનક મનાતા ઋષિ ચરકે ચરકસંહિતામાં તે વિષે નોંધ્યું છે. જે અનુસાર “વિષ્ણુ રં સ્તુવન્નામસહસ્ત્રેણ જ્વરાન્ સર્વનપોહતિ । ” અર્થાત્ વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવાથી જ્વર એટલે કે તાવનો નાશ થઈ જાય છે. એટલું જ નહીં મોક્ષની કામના રાખનારાઓ માટે તો તે મુક્તિના દ્વાર પણ ખોલી દે છે.

ટૂંકમાં, એવું કશું જ નથી કે જેની પ્રાપ્તિ આપ વિષ્ણુ સહસ્ત્રનામથી ન કરી શકો. પણ, શું આપને તેના પઠનની યોગ્ય રીત ખબર છે ? બની શકે કે આપે પણ ઘણીવાર આ પાઠનો જાપ કર્યો હોય ! પણ, એ કઈ રીત છે કે જેના થકી સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકાય ? આવો આજે જાણીએ વિષ્ણુ સહસ્ત્ર નામ જાપની વિશેષ ફળદાયી રીત.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
  •  જો સંકલ્પ સાથે સ્તોત્રનું પઠન કરશો તો તે અચૂક અને શીઘ્ર ફળની પ્રાપ્તિ કરાવશે.
  • વિષ્ણુસહસ્ત્રનામનું પઠન કરતાં પૂર્વે તમારાં કુળદેવી કે કુળદેવતાનું અચૂક સ્મરણ કરો.
  • વિધિસર પાઠ શરૂ કરતાં પૂર્વે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો. તે માટેનો ધ્યાન મંત્ર આ મુજબ છે… શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં, વિશ્વાધારં ગગનસદશં મેઘવર્ણ શુભાગંમ । લક્ષ્મીકાંતમ્ કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્, વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ।।
  • શક્ય હોય ત્યાં સુધી પીળા વસ્ત્રો પહેરીને વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન કરવું.
  • પ્રભુને ભોગમાં ચણા-ગોળ અર્પણ કરવા અથવા પીળી મીઠાઈનો ભોગ પણ લાભપ્રદ બની રહેશે.
  • ‘સહસ્ત્ર’નામના પઠન માટે ગુરુવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ મનાય છે.
  • પાઠ પૂર્ણ થયા બાદ પણ શ્રીવિષ્ણુનું ધ્યાન ધરવું.
  • પાઠ કરો તે દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું અને શક્ય હોય ત્યાં સુધી ગુરુવારની સાંજે મીઠું ગ્રહણ ન કરવું.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તો વિષ્ણુસહસ્ત્ર નામના પઠનથી ગુરુ ગ્રહની સ્થિતિ પણ મજબૂત બને છે. એટલું જ નહીં આ સ્તોત્રથી દરેક ગ્રહની સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે. એમાંય જો આગળ વર્ણિત વિધિ અનુસાર આ પાઠનું પઠન કરવામાં આવે, તો જીવનની તમામ મુશ્કેલીઓથી મુક્ત થઈ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકાય છે.

આ પણ વાંચો દર્શનનો ‘ત્રિવેણી’ સંગમ ! બીજે ક્યાંય નહીં થાય મા આશાપુરીની આવી ‘ત્રિમૂર્તિ’ના દર્શન !

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">