AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજી માતાજીના ભંડારાની ગણતરીનો પ્રારંભ, 70થી 80 વ્યક્તિનો સ્ટાફ ગણતરીમાં જોતરાયો

નોંધનીય છેકે ગત વર્ષે કોરોનાના કારણે મંદિર બંધ હતું. પરંતુ, ચાલુ વર્ષે એસઓપીમાં છુટછાટ મળતા શ્રધ્ધાળુઓ ધાર્મીક સ્થાને ઉમટ્યા હતા. આ વરસે શરૂ થયેલા નવા વર્ષના પ્રારંભે શક્તિપીઠ અંબાજીના મંદિરમાં સવારથી જ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો.

અંબાજી માતાજીના ભંડારાની ગણતરીનો પ્રારંભ, 70થી 80 વ્યક્તિનો સ્ટાફ ગણતરીમાં જોતરાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 5:59 PM
Share

આ વર્ષે સરકારે કોરોનાના કેસમાં ઘટાડો થતાં SOPમાં છૂટછાટ આપી છે.જેને લઇ અંબાજી મંદિરમાં ભંડાર ખોલવામાં આવ્યો હતો. મંદિરમાં આવેલી દાન ભેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી.દિવાળી સિઝનના ભંડારાની આવકની ગણતરી હાથ ધરાઈ હતી.70થી 80નો સ્ટાફ ભંડારાની ગણતરીમાં લાગ્યો છે.મેન્યુઅલી સાથે મશીનથી રૂપિયા ગણાઈ રહ્યા છે..સવારથી શરૂ થયેલી ગણતરી મોડી સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે.

નોંધનીય છેકે ગત વર્ષે કોરોનાના કારણે મંદિર બંધ હતું. પરંતુ, ચાલુ વર્ષે એસઓપીમાં છુટછાટ મળતા શ્રધ્ધાળુઓ ધાર્મીક સ્થાને ઉમટ્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં મહત્તમ લોકો તીર્થધામો માં દર્શનાર્થે જતા હોય છે. જેમાં આ વરસે શરૂ થયેલા નવા વર્ષના પ્રારંભે શક્તિપીઠ અંબાજીના મંદિરમાં સવારથી જ યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. આજે નવા વર્ષના પ્રારંભે યાત્રાધામ અંબાજીના મંદિરે છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધારાવવામાં આવ્યો હતો. વિવિધ વ્યજંનઓ માતાજીના સન્મુખ ધરાવી માતાજીને ખુશ કરવાના પ્રયાસ કરાયા હતા સાથે પૂજારી દ્વારા બપોરના સમય અન્નકૂટની સાથે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. જોકે ગત વર્ષે કોરોના મહામારીના કારણે આ તમામ કાર્યક્રમો મુલતવી રાખ્યા હતા. પણ ચાલુ વર્ષે સરકાર તરફથી મળેલી છૂટછાટના પગલે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓને પ્રવેશ પણ અપાયો હતો. જેને લઈ યાત્રિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઇને આ વરસે માતાજીના ભંડારામાં ભક્તોએ અઢળક દાન કર્યું હતું. જેની આખરે ગણતરી શરૂ કરવામાં આવી છે. અને, તેનો આંકડો થોડા સમયમાં જ બહાર આવશે.

નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
g clip-path="url(#clip0_868_265)">