“બાપુ”ની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન સુરત શહેરના 35 સ્થળો પર 40 વખત મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મિટિંગ, સભાઓ, ભોજન, રાત્રીનિવાસ કર્યો હતો. આ તીર્થ સમાં સ્થળોના ઇતિહાસની પેઢી દર પેઢી જાળવણી થાય તે માટે સુરતના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બે શિક્ષકોએ “સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા” નામનું પુસ્તક તૈયાર કર્યું છે. આજે શહેરના પ્રથમ નાગરિક મેયર […]
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન સુરત શહેરના 35 સ્થળો પર 40 વખત મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મિટિંગ, સભાઓ, ભોજન, રાત્રીનિવાસ કર્યો હતો. આ તીર્થ સમાં સ્થળોના ઇતિહાસની પેઢી દર પેઢી જાળવણી થાય તે માટે સુરતના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બે શિક્ષકોએ “સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા” નામનું પુસ્તક તૈયાર કર્યું છે.
આજે શહેરના પ્રથમ નાગરિક મેયર જગદીશ પટેલ, સાંસદ દર્શના જરદોષના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષક સુરેશ અવૈયા અને અલ્પેશ પટેકે તૈયાર કર્યું છે. આખું પુસ્તક 48 પાનાનું છે. છેલ્લા દોઢ વર્ષની મહેનત બાદ આ પુસ્તક તૈયાર થયું છે. પુસ્તકમાં દરેક મુલાકાત સાથે સ્થળના ફોટોગ્રાફ અને માહિતી પણ મુકવામાં આવી છે.
2 જાન્યુઆરી, 1916માં તેમણે સુરતમાં આર્યસમાજ મંદિર ખુલ્લું મૂક્યું હતું. સુરતની બે દિવસની મુલાકાત દરમ્યાન તેમણે અનાવિલ આશ્રમમાં ઉતારો કર્યો હતો. આ જ દિવસે તેમણે અશકતા આશ્રમ અને બાલાશ્રમની પણ મુલાકાત કરી હતી.
12 મે, 1937માં ગાંધીજી સુરત સ્ટેશન પર રોકાયા હતા. ત્યારે તેમની બેગ ચોરાઈ ગઈ હતી. શોધખોળ કરવા છતાં પણ તેમની બેગ મળી નહોતી. આ સુરતમાં તેમની છેલ્લી મુલામત હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો