વડગામના (Vadgam) ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ(Jignesh Mevani) વડગામમાં આવેલું કરમાવદ તળાવ ભરવા સરકારને(Gujarat Govt) અલ્ટીમેટમ આપવાની વાત કરી છે.જેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જીગ્નેશ મેવાણી પર આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યું કે, જીગ્નેશ મેવાણીને પાણી માટે બોલવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણીના (Gujarat election) સમયે હવે જીગ્નેશ મેવાણીને પાણી યાદ આવ્યું છે.
ડીસા ખાતે સિમ્સ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જીગ્નેશ મેવાણીને પાણી માટે બોલવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણીના સમયે હવે જીગ્નેશ મેવાણીને પાણી યાદ આવ્યું છે.તો બીજી તરફ જીગ્નેશ મેવાણીએ ભાજપ પર વાર કર્યા હતા.
તેમણે કહ્યું કે, દરેક ચૂંટણીમાં ભાજપ વડગામ તાલુકાની પ્રજાને કોણીએ ગોળ લગાવે છે. કરમાવદ તળાવ માટે જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી લડીશું પરંતુ કરમાવદ તળાવમાં સરકારને પાણી તો આપવું જ પડશે.