AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: બનાસકાંઠા દાંતા તાલુકાના ધાબાવાળી ગામમાં વર્ષો બાદ વીજળી આવતા ગ્રામજનોમાં ખુશી

બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાબાવાળી વાવ ગામમાં આઝાદી બાદ પણ આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ ન હતી. ત્યારે ગુજરાતીએ તેમની વેદના સાંભળી અને સરકાર સુધી વાત પહોંચાડી. માત્ર 20 દિવસમાં જ આ આદિવાસી લોકોના ચહેરા પર અને તેમના ઘરે અજવાળા પથરાયા છે. આઝાદી બાદ ધાબાવાળી વાવ ગામના આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ આવી છે. તેમના ચહેરા પર રોનક આવી છે.

Good News: બનાસકાંઠા દાંતા તાલુકાના ધાબાવાળી ગામમાં વર્ષો બાદ વીજળી આવતા ગ્રામજનોમાં ખુશી
Banaskantha Danta Village Electricity
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 11:28 AM
Share

બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાબાવાળી વાવ ગામમાં આઝાદી બાદ પણ આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ ન હતી. ત્યારે ગુજરાતીએ તેમની વેદના સાંભળી અને સરકાર સુધી વાત પહોંચાડી. માત્ર 20 દિવસમાં જ આ આદિવાસી લોકોના ચહેરા પર અને તેમના ઘરે અજવાળા પથરાયા છે. આઝાદી બાદ ધાબાવાળી વાવ ગામના આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ આવી છે. તેમના ચહેરા પર રોનક આવી છે. તેમના ચહેરા પર ખુશી આવી છે.

સૌથી મોટી સમસ્યા હતી બાળકોને અભ્યાસ કરવાની હતી

ધાબાવાળી વાવ ગામની પરિસ્થિતિએ હતી કે આ ગામમાં વીજળીની સુવિધા ન હતી..છેલ્લા ત્રણ વર્ષથી તો ગ્રામજનોએ દાંતા જીઈબી કચેરીમાં ફોર્મ ભર્યા હતા.પરંતુ બે વાર સર્વે બાદ પણ તેમને લાઈટ મળી ન હતી. ગ્રામજનોને કહેવું છે કે તેમના દાદા પરદાદા અને તેમના બાપા પણ લાઈટ વગર જ જન્મ્યા અને લાઈટ વગર જ મૃત્યુ પામ્યા છે. ત્યારે જંગલ વિસ્તાર છે, જાનવરોનો ડર લાગે રાતે જમવાનું બનાવવાની પણ સુવિધા ના હોય અને સૌથી મોટી સમસ્યા હતી બાળકોને અભ્યાસ કરવાની.

પરંતુ હવે લાઈટ આવી છે તો બાળકો પણ અભ્યાસ કરી શકશે.રાતે વ્યવસ્થિત પરિવારો જમી શકશે અને શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પણ શાંતિથી રહી શકશે. એટલા જ માટે આ ગામ Tv9 ગુજરાતીનો આભાર માને છે..આઝાદી બાદ તેમના મકાનોમાં અને તેમના ચહેરા પર લાઈટ આવી છે, અજવાળા પથરાયા છે જેને લઈને તંત્રનો પણ આભાર માને છે.

20 દિવસના ટૂંકા ગાળામાં ધાબાવાળી વાવ ગામના ગ્રામજનોને વીજળી આપી

ધાબાવાળી વાવ ગામમાં Tv9 ગુજરાતી ગ્રામજનો અને સરકાર વચ્ચે એક માધ્યમ બન્યું અને આ માધ્યમ દ્વારા ગ્રામજનોની વેદના અને વાંચા સરકાર સુધી પહોંચાડી. ત્યારે વહિવટી તંત્રએ પણ ઝડપથી કામગીરી પૂર્ણ કરીને માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં ધાબાવાળી વાવ ગામના ગ્રામજનોને વીજળી આપી છે.. જેથી સમગ્ર ગ્રામજનોના ચહેરા પર એક ખુશી જોવા મળી છે.

(With Input, Atul Trivedi, Banaskantha) 

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">