Banaskantha: ડિગ્રી વગરના ડોક્ટરોની વ્હારે આવ્યા દિયોદરના ધારાસભ્ય, કાર્યવાહી ન કરવા કરી વિચિત્ર માંગ

Banaskantha: તાજેતરમાં નકલી ડોક્ટરોનો જાણે રાફડો ફાટયો હોય તેમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોટાપાયે નકલી ડોક્ટરો (Bogus Doctors) ઝડપાયાના આહેવાલો સામે આવ્યા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 09, 2021 | 8:29 PM

Banaskantha: તાજેતરમાં નકલી ડોક્ટરોનો જાણે રાફડો ફાટયો હોય તેમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોટાપાયે નકલી ડોક્ટરો (Bogus Doctors) ઝડપાયાના આહેવાલો સામે આવ્યા હતા. ભોળી પ્રજાનો ભોળપણનો લાભ લઈ તેના રૂપિયા તો ખંખેરતા જ હતા, પરંતુ સાથે સાથે તેના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરતાં હતા.

 

કોઈ પણ જાતની માન્ય ડિગ્રી વગર લોકોના ઈલાજ કરી રહેલા આવા ડોક્ટરો હાલ જેલના સળિયા પાછળ છે અને દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, નાયબ મુખ્યમંત્રીને તેની સામે આડેધડ કાર્યવાહી ન કરવાની અપીલ કરતો પત્ર લખીને વિચિત્ર માંગણી કરી છે.

 

 

દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા (MLA Shivabhai bhuriya)એ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે કે કોરોના મહામારી દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા આ નકલી ડોક્ટરોએ સાચી મદદ કરી છે. ગ્રામીણ વિસ્તારમાં મેડીકલ પ્રેક્ટિસ કરતાં તબીબો સામે આડેધડ કાર્યવાહી નહીં કરવાની માંગ કરી રહ્યા છે. જેને લઈને તેઓ હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

 

રાજ્યભરમાં જાણે નકલી ડોક્ટરોનો રાફડો ફાટયો હોય તેમ છાશવારે જોલા છાપ તબીબો એક પછી એક પકડાતાં હતા. કોરોના જેવી મહામારીમાં તકનો લાભ લઈને આવા નકલી તબીબો પૈસા તો બનાવતા હતા, પરંતુ સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત પણ રમતા હતા અને આવા લોકો માટે થઈને એક ધારાસભ્ય તેની સામે કાર્યવાહી ન કરવાની માંગ કરે છે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

 

આ પણ વાંચો: Junagadh: માત્ર 6 મહિનામાં આંબલગઢ ગામે મેઘલ નદી પર પુલ ખખડધજ, પોલ છુપાવવા પુલ પર માટી નાંખી

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">