Banaskantha: બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ભાભર, સૂઈગામ સહિતના તાલુકામાં ભારે નુક્સાન થયું છે. સાંજના સમયે આવેલા ભારે પવને રાત્રે 10 વાગ્યા પછી અતિ ભારે વાવાઝોડાનું રૂદ્ર રૂપ ધારણ કરી તબાહી મચાવી છે. જિલ્લામાં અતિ ભારે નુકશાનનું અનુમાન છે. મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. પતરા વાળા મકાનોના મોટા પ્રમાણમાં મકાનોના છતના પતરા ઉડ્યા છે. આખી રાત ધોધમાર વરસાદ પડ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના સવારે 4 વાગ્યા સુધીના આંકડા આંકડા
લાખણી – થરાદ હાઈવે પર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. લાખણીથી મલુપુર સુઘી ઠેર ઠેર ભારે પવનના કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. હાઈવે પર વૃક્ષો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પોલીસે રોડ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી.
બિપરજોય વાવાઝોડું ગુરૂવારે મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ ઉપર ત્રાટક્યું હતું, જો કે તેની બાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈને આ આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં પણ બિપરજોય વાવાઝોડાની અસરના પગલે વરસાદ પડયો છે.
જેમાં 15 અને 16 જુને બનાસકાંઠામાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. જો કે વરસાદના પગલે અંબાજીના બજારોમાં પાણી ભરાયા છે. જ્યારે ભારે વરસાદના પગલે હાઈવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે અનેક નાના વેપારીઓ પોતાના ધંધા આટોપ્યા છે. તેમજ બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. તેમજ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(ઈનપુટ ક્રેડિટ- જગદીશ પ્રજાપતિ, બનાસકાંઠા)
Published On - 6:58 am, Sat, 17 June 23