Gujarati NewsGujaratBanaskantha ma abol maate nu aandolan vadhu ugra banyu paanjrapod tatha gaushada na sanchalako e pashu dhan rata par chhodi didha 154 gaushadana 1 laakh karta vadhare abol pashu behal
બનાસકાંઠામાં અબોલ માટેનું આંદોલન વધુ ઉગ્ર બન્યું , પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકોએ પોતાના પશુધન રસ્તા પર છોડી દીધા, ગૌશાળા સંચાલકો હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં, 154 ગૌશાળાઓનું 1 લાખથી વધુ પશુધન ભુખમરાથી બેહાલ
બનાસકાંઠામાં અબોલ માટેનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને જિલ્લાના તમામ પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકોએ પોતાના પશુધન રસ્તા પર છોડી દીધા છે, જોકે ક્યાંક પોલીસે પશુઓ અટકાવતા મામલો ગરમાયો હતો પરંતુ ગૌશાળા સંચાલકો હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં આવી ગયા છે અને જ્યાં સુધી પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા અને સહાય નહીં મળે ત્યાં સુધી […]
બનાસકાંઠામાં અબોલ માટેનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને જિલ્લાના તમામ પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકોએ પોતાના પશુધન રસ્તા પર છોડી દીધા છે, જોકે ક્યાંક પોલીસે પશુઓ અટકાવતા મામલો ગરમાયો હતો પરંતુ ગૌશાળા સંચાલકો હવે સરકાર સામે બાયો ચઢાવવાના મૂડમાં આવી ગયા છે અને જ્યાં સુધી પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા અને સહાય નહીં મળે ત્યાં સુધી તેઓ પશુને રસ્તે રઝળતું મુકશે. પશુપાલકોએ અગાઉ સરકાર સમક્ષ અનેક રજૂઆતો અને ફરિયાદો કરી હતી પરંતુ સરકારે નમતું ન જોખતા આખરે ગૌશાળા સંચાલકોએ પોતાનું આંદોલન ઉગ્ર બનાવીને સરકાર સામે લડી લેવાની તૈયારીઓ કરી દીધી છે. મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યની સૌથી વધુ 154 ગૌશાળાઓ આવેલી છે જ્યાં 1 લાખથી વધુ પશુધન ભુખમરાનો સામનો કરી રહ્યું છે. કોરોના કાળમાં દાન-ધર્માદો બંધ થતા સંચાલકો પણ કફોડી હાલતમાં મુકાયા છે ત્યારે સંવેદનશીલ સરકાર અબોલ પ્રત્યે લાગણી દર્શાવે તે જરૂરી બન્યું છે.