ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને (Gujarat State Consumer Dispute Redressal Commission ) બનાસકાંઠા જિલ્લાના ડો. દિનેશ ગજ્જરને બેદરકારી દાખવવા બદલ દર્દીને રૂપિયા ત્રણ લાખ ચૂકવવા માટે આદેશ કર્યો છે.
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ડૉ.વી પી પટેલની (V P Patel) અધ્યક્ષતા હેઠળના ફોરમે આદેશ આપતા, 9 ટકા વ્યાજ સહિતની તમામ રકમ બે મહિનામાં ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે. કમિશનના (Commission) આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જો તબીબ નિયત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો દર્દીને પાંચ હજાર પેટે વધારાના ખર્ચે પણ ચૂકવવાના રહેશે.
મહત્વપૂર્ણ છે કે, દર્દીએ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડો. દિનેશ ગજ્જર વિરુધ્ધ નિષ્કાળજી અને બેદરકારીની ફરિયાદ દાખલ કરી હતી.
ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડોક્ટરે દાખવી હતી બેદરાકરી
ગર્ભાશયના ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરાકરીને કારણે રમીલાબેન નામના દર્દીએ બે-ત્રણ હોસ્પિટલમાં ફરવું પડ્યું હતું અને બે મેજર ઓપરેશન (Major operation) કરાવવા પડ્યા હતા. જેથી દર્દીએ ઓપરેશન માટે જે પણ નાણાકીય ખર્ચ થયો અને શારિરીક અશક્તિના કારણે આર્થિક ઉપાર્જન બંધ રહેવાને કારણે રમીલાબેને ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ મળતરની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક ડોક્ટરોની બેદરાકરીઓ સામે આવી છે. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે લોકોએ સહન કરવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના આ નિર્ણયને હાલ લોકો આવકારી રહ્યા છે.
Published On - 1:58 pm, Sat, 3 July 21