Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા

Asarva Udaipur Chittaurgarh Train: અસારવા થી ડુંગરપુર સુધી દોડતી ડેમુ ટ્રેનમાં મોટો ધસારો રહેતો હતો. હવે ઉદયપુર અને ચિત્તોડગઢ વચ્ચે અમદાવાદથી સીધી રેલ સેવા શરુ કરી છે.

Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા
વર્ષ 2022 માં ડુંગરપુર અસારવા ડેમુ શરુ કરાઈ હતી.
Follow Us:
| Updated on: Jul 02, 2023 | 11:19 AM

અમદાવાદ થી રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના અસારવા થી ઉપડતી ડેમુ ટ્રેનને હવે ડુંગરપુરથી લંબાવીને ઉદયપુર અને ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી છે. આમ હવે અમદાવાદ થી ચિત્તોડગઢની રેલવે સેવા રવિવાર 2, જુલાઈથી શરુ કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી 30 જૂને રેલવે દ્વારા કરવામાં આવી હતી. વાયા હિંમતનગર અને પ્રાંતિજ થઈને અવર જવર કરતી અસારવા ડુંગરપુર ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. આ દરમિયાન હવે ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવતા રાજસ્થાનના મુસાફરોને વધારો રાહત સર્જાશે.

ગુજરાતમાં રાજસ્થાનથી રોજગારી માટે મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત ગુજરાતમાંથી અનેક મુસાફરો ઉદયપુર અને રાજસ્થાનના પ્રવાસન સ્થળો પર ફરવા માટે જતા હોય છે. ટ્રેન લંબાવવાને લઈને મુસાફરોને હવે મોટી રાહત સર્જાશે. અગાઉ આ ડેમુ ટ્રેન અમદાવાદના અસારવાથી ડુંગરપુર સુધી દોડતી હતી.

જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024

દરરોજ ઉપડશે ટ્રેન

અમદાવાદના અસારવાથી ચિત્તોડગઢ માટે દરરોજ ટ્રેન સવારે 10.05 કલાકે ઉપડશે. સવારે ઉપડનારી આ ટ્રેન હિંમતનગર 12.15 કલાકે પહોંચશે. જ્યારે ડુંગરપુર બપોરે 2.20 કલાકે પહોંચશે. જ્યાં 5 મિનિટના રોકાણ બાદ ટ્રેન ઉદયપુર જવા રવાના થશે. સાંજે 4.55 કલાકે ટ્રેન ઉદયપુર પહોંચશે અને ચિત્તોડગઢ રાત્રે 8.05 કલાકે પહોંચાડશે. આમ ચિત્તોડગઢ તરફ જનારા પ્રવાસીઓ માટે દિવસની ટ્રેન ખૂબ જ રાહતભરી બની રહેશે. આ વિસ્તારના લોકોને માટે ટ્રેન સેવા વધવાની આશા હતી અને એ મુજબ હવે ટ્રેનનો રુટ લંબાવવામાં આવતા રાહત સર્જાશે.

અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ધંધા અને રોજગાર માટે રહેતા રાજસ્થાનના લોકોને મોટી રાહત સર્જાઈ છે. આ ઉપરાંત દહેગામ, તલોદ. પ્રાંતિજ, હિંમતનગર અને શામળાજી વિસ્તારમાં ગ્રામ્ય સ્તરે ધંધો રોજગાર કરતા મોટા પ્રમાણના રાજસ્થાનના પરિવારોને રાહત સર્જાશે. ડુંગરપુર અસારવા ડેમુ ટ્રેન સેવાની શરુઆત વર્ષ 2022 ના જાન્યુઆરીમાં થઈ હતી.

ક્યાં ક્યા રોકાશે ટ્રેન

અસારવા ચિત્તોડગઢ ટ્રેનને લઈ સ્ટોપેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉદયુપર સિટી, કોટાના, ઋષભદેવ રોડ, કુંડલગઢ, સેમારી. સુરખાંડ કા ડેરા, જયસમંદ રોડ, પાડલા, ઝવર, ખારવા ચંદા, ઉમરા, રાણા પ્રતાપનગર, માવલી, ફતેહનગર, ભૂપલસાગર, કપાસણ, પંડોલી, નેટાવલ, ઘોસુંદા સહિતના સ્ટોપેજ પર ટ્રેન રોકાશે.

આ પણ વાંચોઃ  Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">