Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા

Asarva Udaipur Chittaurgarh Train: અસારવા થી ડુંગરપુર સુધી દોડતી ડેમુ ટ્રેનમાં મોટો ધસારો રહેતો હતો. હવે ઉદયપુર અને ચિત્તોડગઢ વચ્ચે અમદાવાદથી સીધી રેલ સેવા શરુ કરી છે.

Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા
વર્ષ 2022 માં ડુંગરપુર અસારવા ડેમુ શરુ કરાઈ હતી.
Follow Us:
| Updated on: Jul 02, 2023 | 11:19 AM

અમદાવાદ થી રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના અસારવા થી ઉપડતી ડેમુ ટ્રેનને હવે ડુંગરપુરથી લંબાવીને ઉદયપુર અને ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી છે. આમ હવે અમદાવાદ થી ચિત્તોડગઢની રેલવે સેવા રવિવાર 2, જુલાઈથી શરુ કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી 30 જૂને રેલવે દ્વારા કરવામાં આવી હતી. વાયા હિંમતનગર અને પ્રાંતિજ થઈને અવર જવર કરતી અસારવા ડુંગરપુર ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. આ દરમિયાન હવે ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવતા રાજસ્થાનના મુસાફરોને વધારો રાહત સર્જાશે.

ગુજરાતમાં રાજસ્થાનથી રોજગારી માટે મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત ગુજરાતમાંથી અનેક મુસાફરો ઉદયપુર અને રાજસ્થાનના પ્રવાસન સ્થળો પર ફરવા માટે જતા હોય છે. ટ્રેન લંબાવવાને લઈને મુસાફરોને હવે મોટી રાહત સર્જાશે. અગાઉ આ ડેમુ ટ્રેન અમદાવાદના અસારવાથી ડુંગરપુર સુધી દોડતી હતી.

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

દરરોજ ઉપડશે ટ્રેન

અમદાવાદના અસારવાથી ચિત્તોડગઢ માટે દરરોજ ટ્રેન સવારે 10.05 કલાકે ઉપડશે. સવારે ઉપડનારી આ ટ્રેન હિંમતનગર 12.15 કલાકે પહોંચશે. જ્યારે ડુંગરપુર બપોરે 2.20 કલાકે પહોંચશે. જ્યાં 5 મિનિટના રોકાણ બાદ ટ્રેન ઉદયપુર જવા રવાના થશે. સાંજે 4.55 કલાકે ટ્રેન ઉદયપુર પહોંચશે અને ચિત્તોડગઢ રાત્રે 8.05 કલાકે પહોંચાડશે. આમ ચિત્તોડગઢ તરફ જનારા પ્રવાસીઓ માટે દિવસની ટ્રેન ખૂબ જ રાહતભરી બની રહેશે. આ વિસ્તારના લોકોને માટે ટ્રેન સેવા વધવાની આશા હતી અને એ મુજબ હવે ટ્રેનનો રુટ લંબાવવામાં આવતા રાહત સર્જાશે.

અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ધંધા અને રોજગાર માટે રહેતા રાજસ્થાનના લોકોને મોટી રાહત સર્જાઈ છે. આ ઉપરાંત દહેગામ, તલોદ. પ્રાંતિજ, હિંમતનગર અને શામળાજી વિસ્તારમાં ગ્રામ્ય સ્તરે ધંધો રોજગાર કરતા મોટા પ્રમાણના રાજસ્થાનના પરિવારોને રાહત સર્જાશે. ડુંગરપુર અસારવા ડેમુ ટ્રેન સેવાની શરુઆત વર્ષ 2022 ના જાન્યુઆરીમાં થઈ હતી.

ક્યાં ક્યા રોકાશે ટ્રેન

અસારવા ચિત્તોડગઢ ટ્રેનને લઈ સ્ટોપેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉદયુપર સિટી, કોટાના, ઋષભદેવ રોડ, કુંડલગઢ, સેમારી. સુરખાંડ કા ડેરા, જયસમંદ રોડ, પાડલા, ઝવર, ખારવા ચંદા, ઉમરા, રાણા પ્રતાપનગર, માવલી, ફતેહનગર, ભૂપલસાગર, કપાસણ, પંડોલી, નેટાવલ, ઘોસુંદા સહિતના સ્ટોપેજ પર ટ્રેન રોકાશે.

આ પણ વાંચોઃ  Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">