AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા

Asarva Udaipur Chittaurgarh Train: અસારવા થી ડુંગરપુર સુધી દોડતી ડેમુ ટ્રેનમાં મોટો ધસારો રહેતો હતો. હવે ઉદયપુર અને ચિત્તોડગઢ વચ્ચે અમદાવાદથી સીધી રેલ સેવા શરુ કરી છે.

Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા
વર્ષ 2022 માં ડુંગરપુર અસારવા ડેમુ શરુ કરાઈ હતી.
| Updated on: Jul 02, 2023 | 11:19 AM
Share

અમદાવાદ થી રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના અસારવા થી ઉપડતી ડેમુ ટ્રેનને હવે ડુંગરપુરથી લંબાવીને ઉદયપુર અને ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી છે. આમ હવે અમદાવાદ થી ચિત્તોડગઢની રેલવે સેવા રવિવાર 2, જુલાઈથી શરુ કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી 30 જૂને રેલવે દ્વારા કરવામાં આવી હતી. વાયા હિંમતનગર અને પ્રાંતિજ થઈને અવર જવર કરતી અસારવા ડુંગરપુર ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. આ દરમિયાન હવે ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવતા રાજસ્થાનના મુસાફરોને વધારો રાહત સર્જાશે.

ગુજરાતમાં રાજસ્થાનથી રોજગારી માટે મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત ગુજરાતમાંથી અનેક મુસાફરો ઉદયપુર અને રાજસ્થાનના પ્રવાસન સ્થળો પર ફરવા માટે જતા હોય છે. ટ્રેન લંબાવવાને લઈને મુસાફરોને હવે મોટી રાહત સર્જાશે. અગાઉ આ ડેમુ ટ્રેન અમદાવાદના અસારવાથી ડુંગરપુર સુધી દોડતી હતી.

દરરોજ ઉપડશે ટ્રેન

અમદાવાદના અસારવાથી ચિત્તોડગઢ માટે દરરોજ ટ્રેન સવારે 10.05 કલાકે ઉપડશે. સવારે ઉપડનારી આ ટ્રેન હિંમતનગર 12.15 કલાકે પહોંચશે. જ્યારે ડુંગરપુર બપોરે 2.20 કલાકે પહોંચશે. જ્યાં 5 મિનિટના રોકાણ બાદ ટ્રેન ઉદયપુર જવા રવાના થશે. સાંજે 4.55 કલાકે ટ્રેન ઉદયપુર પહોંચશે અને ચિત્તોડગઢ રાત્રે 8.05 કલાકે પહોંચાડશે. આમ ચિત્તોડગઢ તરફ જનારા પ્રવાસીઓ માટે દિવસની ટ્રેન ખૂબ જ રાહતભરી બની રહેશે. આ વિસ્તારના લોકોને માટે ટ્રેન સેવા વધવાની આશા હતી અને એ મુજબ હવે ટ્રેનનો રુટ લંબાવવામાં આવતા રાહત સર્જાશે.

અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ધંધા અને રોજગાર માટે રહેતા રાજસ્થાનના લોકોને મોટી રાહત સર્જાઈ છે. આ ઉપરાંત દહેગામ, તલોદ. પ્રાંતિજ, હિંમતનગર અને શામળાજી વિસ્તારમાં ગ્રામ્ય સ્તરે ધંધો રોજગાર કરતા મોટા પ્રમાણના રાજસ્થાનના પરિવારોને રાહત સર્જાશે. ડુંગરપુર અસારવા ડેમુ ટ્રેન સેવાની શરુઆત વર્ષ 2022 ના જાન્યુઆરીમાં થઈ હતી.

ક્યાં ક્યા રોકાશે ટ્રેન

અસારવા ચિત્તોડગઢ ટ્રેનને લઈ સ્ટોપેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉદયુપર સિટી, કોટાના, ઋષભદેવ રોડ, કુંડલગઢ, સેમારી. સુરખાંડ કા ડેરા, જયસમંદ રોડ, પાડલા, ઝવર, ખારવા ચંદા, ઉમરા, રાણા પ્રતાપનગર, માવલી, ફતેહનગર, ભૂપલસાગર, કપાસણ, પંડોલી, નેટાવલ, ઘોસુંદા સહિતના સ્ટોપેજ પર ટ્રેન રોકાશે.

આ પણ વાંચોઃ  Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">