Sabarkantha: ખેંચાયેલા વરસાદથી ખેડૂત ચિંતામાં, જાણો અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોની સ્થિતિ

વરસાદ ખેંચાવાને લઇને વાવણી કરી ચુકેલા ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઇ છે. તો બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લીના જળાશયોની સ્થિતિ પણ એટલી સારી નથી.

Sabarkantha: ખેંચાયેલા વરસાદથી ખેડૂત ચિંતામાં, જાણો અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોની સ્થિતિ
Guhai Dam
Follow Us:
| Updated on: Jul 06, 2021 | 9:56 PM

વરસાદ ખેંચાવા લાગતા હવે ખેડૂતોના જીવ તાળવે ચોંટવા લાગ્યા છે. ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે, પરંતુ વરસાદ આવતો નથી. હવે ખેડૂતોની ચિંતાઓ વધવા લાગી છે. ક્યાંક થયેલી વાવણી નિષ્ફળ જવાની ચિંતા છે, તો ક્યાંક વાવણીની શરુઆત માટે રાહ જોવાઇ રહી છે.

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જીલ્લામાં ગત વર્ષે સારા વરસાદના પરિણામે મોટા ભાગના જળાશયો (Reservoirs) છલોછલ ભરાયા હતા. જેને લઇને વિસ્તારમાં ખેડૂતોને ઉનાળુ સિઝન અને રવિ સિઝનમાં સિંચાઇની રાહત સર્જાઇ હતી. જૂલાઇ મહિનાની શરૂઆતે મોટાભાગના જળાશયો (Reservoirs) માં પાણીના સ્તર નિચા ઉતર્યા છે, તો કેટલાક જળાશયો તળીયા ઝાટક છે.

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નાના અને મોટા થઇને કુલ ચૌદ જેટલા જળાશયો આવેલા છે. જે પૈકી 40 ટકા કે તેથી વધુ પાણીનો ઝથ્થો ધરાવતો માત્ર એક જ જળાશય છે. જ્યારે 25 ટકાથી ઓછો જળ સ્ત્રોત ધરાવતા જળાશયો 7 આવેલા છે. જ્યારે 25 થી 40 ટકા જળ ઝથ્થો ધરાવતા જળાશયો ચાર છે. આમ જો જોવામાં આવે તો ચોમાસાની શરુઆતે જળાશયો મહદઅંશે ખાલી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગુહાઇ જળાશયથી નિરાશા

હિંમતનગરથી લઇને દક્ષિણ સાબરકાંઠા જીલ્લાના વિસ્તાર માટે મહત્વનો ગણાતો ગુહાઇ ડેમ (Guhai Dam) ગત વર્ષ 100 ટકા વરસાદ વરસવા બાદ પણ અડધાથી વધુ ખાલી રહ્યો હતો. જેને લઇને વિસ્તારના ખેડૂતોથી લઇને પિવાના પાણી માટે ચિંતા સર્જાઇ હતી. પરંતુ હાથમતી જળાશય છલકાતા રાહત થઇ હતી. ગુહાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં યોગ્ય વરસાદ નહી વરસતા જળાશય ખાલી રહેવા પામ્યો હતો.

મેશ્વો, માઝુમથી આશા

સાબરકાંઠા જીલ્લા માટે આધાર ધરાવતો ગુહાઇ જળાશય પણ માંડ 11 ટકા અને હાથમતી જળાશય (Hathmati Reservoirs) 34 ટકા જ પાણીનો જથ્થો ધરાવે છે અને તે ખેડૂતો માટે સિંચાઇનો મુખ્ય આધાર માનવામાં આવે છે. જ્યારે અરવલ્લીના વૈડી, લાંક અને વારાંણશી જેવા જળાશયો તળીયા ઝાટક છે. જોકે મેશ્વો (Meshwo) વાત્રક (Watrak) અને માઝુમ (Mazum) જેવા મહત્વના જળાશયોમાં પાણીનો ઝથ્થો થોડીક રાહત આપનારો છે. જોકે તે પણ કેટલા દિવસ સિંચાઇ પુરુ પાડે એ પણ સવાલ છે. એટલે કે તે જળાશયોમાં 35 થી 43 ટકા પાણીનો ઝથ્થો સંગ્રહાયેલો છે.

જળાશયની સ્થિતી ટકાવારી પ્રમાણે

સાબરકાંઠા જીલ્લો

  • ગુહાઇ જળાશય: 11.21 %
  • હાથમતી જળાશય: 33.05 %
  • હરણાવ-02 જળાશય: 30.18 %
  • જવાનપુરા જળાશય: 05.81 %
  • ખેડવા જળાશય: 17.41 %
  • ગોરઠીયા જળાશય: 22.05 %

અરવલ્લી જીલ્લો 

  • માઝુમ જળાશય: 37.64 %
  • વાત્રક જળાશય: 32.56 %
  • મેશ્વો જળાશય: 43.41 %
  • વૈડી જળાશય: 17.41 %
  • વારાણંશી જળાશય: 04.39 %
  • લાંક જળાશય: 00.07 %

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">