AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamlaji: શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી, ભગવાનને સોનાની રાખડી અર્પણ કરાઈ

શામળાજીમાં ગુરુવારે રક્ષાબંધન મનાવવામાં આવી હતી. જેને લઈ વહેલી સવારે મંદિર વહેલી સવારે 5 વાગ્યે ખોલવામા આવ્યુ હતુ.ભગવાન શામળીયાને સુંદર શણગાર સજાવવામાં આવ્યો હતો. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગાર સજાવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં પણ ભક્તોની ભીડને લઈ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. 

Shamlaji: શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી, ભગવાનને સોનાની રાખડી અર્પણ કરાઈ
સોનાની રાખડી અર્પણ કરાઈ
| Updated on: Aug 31, 2023 | 2:52 PM
Share

પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે આજે ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી પડી છે. શામળિયા ભગવાનને આજે ભક્તોએ રાખડી અર્પણ કરીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટવા લાગી હતી. શામળાજી ભગવાનના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે ભગવાનને રાખડી અર્પણ કરવાનો સમય સવારે સાત કલાકે રાખવામાં આવ્યો હતો.

રક્ષાબંધનને લઈ ભગવાનને સુવર્ણ રાખડી અર્પણ કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે રાખડી અર્પણ કરવા માટે દૂર દૂરથી ભક્તો વહેલી સવારે 7 વાગ્યાના સમયે મંદિરે ઉમટ્યા હતા. શામળાજીમાં ગુરુવારે રક્ષાબંધન મનાવવામાં આવી હતી. જેને લઈ વહેલી સવારે મંદિર વહેલી સવારે 5 વાગ્યે ખોલવામા આવ્યુ હતુ.ભગવાન શામળીયાને સુંદર શણગાર સજાવવામાં આવ્યો હતો. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગાર સજાવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં પણ ભક્તોની ભીડને લઈ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

સોનાની રાખડી અર્પણ કરાઈ

શામળાજી મંદિર ખાતે પૂનમની ઉજવણી આજે કરવામાં આવી છે. આજે ગુરુવારે પુર્ણિમા મનાવવા સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ શામળાજી ખાતે આજે કરવામાં આવી રહી છે. ગુરુવારે ભક્તોએ પણ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રાખડી અર્પણ કરી છે. ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરવાની પરંપરા રક્ષાબંધન નિમિત્તે વર્ષોથી રહેલી છે. અહીં ભક્તો સોના-ચાંદી સહિતની સુંદર અવનવી રાખડી ભગવાન શામળિયાને અર્પણ કરતા હોય છે.

સુવર્ણ રાખડી આજે ભગવાન શામળિયાને અર્પણ કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રકારે તૈયાર કરેલ સુંદર રાખડી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાન શામળિયાને સુંદર શણગાર સજાવવામા આવ્યો હતો. બળેવને લઈ આજે સુંદર વસ્ત્રો સજાવવા સાથે ભગવાન શામળિયાને સુંદર મજાના સુવર્ણ આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.

પ્રફુલ પટેલે કર્યા દર્શન

લક્ષદ્વીપ, દીવ-દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે શામળાજી મંદિરે દર્શન કર્યા હતા. પ્રશાસક પ્રફુલ પટેલ રક્ષા બંધન નિમિત્તે દર્શન કરવા માટે ગુરુવારે શામળાજી પહોંચ્યા હતા. તેમની સાથે અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચોઃ  Gujarat Video: ‘કિંગ ઓફ સાળંગપુર’ની મૂર્તિ નીચે હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવતા વિવાદ

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">