AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravalli: સરકાર આકરા પાણીએ, રોડની ખોટી લંબાઈ અને ઓછી જાડાઈના માર્ગ નિર્માણ કરવાને લઈ 2 ઈજનેર ફરજ મોકૂફ કરાયા

મેઘરજના નાયબ કાર્યપાલક ઈજનેર શરદ વી રાજગોર અને મદદનીશ ઈજનેર જૈનમ સંખેસરાને ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો. માર્ગ નિર્માણમાં ખોટી લંબાઈ અને જાડાઈ દર્શાવી હોવાનુ સામે આવ્યુ

Aravalli: સરકાર આકરા પાણીએ, રોડની ખોટી લંબાઈ અને ઓછી જાડાઈના માર્ગ નિર્માણ કરવાને લઈ 2 ઈજનેર ફરજ મોકૂફ કરાયા
2 ઈજનેર ફરજ મોકૂફ કરાયા
| Updated on: Jul 14, 2023 | 5:47 PM
Share

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં માર્ગ નિર્માણમાં ગેરરીતી આચરવા રુપ લંબાઈ અને જાડાઈ ખોટી દર્શાવીને નિર્માણ કરાવવાને લઈ ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેઘરજના નાયબ કાર્યપાલક ઈજનેર શરદ વી રાજગોર અને મદદનીશ ઈજનેર જૈનમ સંખેસરાને ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. માર્ગ નિર્માણમાં બેદરકારી દાખવી ગરરીતી આચરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે, આ મામલે પ્રાથમિક તપાસમાં જ કાગળ પર દર્શાવેલ લંબાઈનો માર્ગ નહીં હોવાને લઈ ત્વરીત પગલા ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા આકરી કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા વિભાગના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કર્યા બાદ હવે ફરજ મોકૂફીની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓ પર આવનારા દિવસોમાં હજુ પણ કાર્યવાહીની તલવાર લટકતી હોવાનો ભય પેદા થયો છે. માર્ગ અને મકાન વિભાગમાં નબળી ગુણવત્તાના નિર્માણ કાર્યને લઈ સરકાર હવે આકરા પાણીએ કાર્યવાહી કરવાની શરુઆત કરી છે.

ટૂંકા રસ્તાને લાંબો દર્શાવ્યો

મેઘરજ પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શરદ રાજગોર દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનુ નોંધવામાં આવ્યુ છે. સીધા સવાલો ગેરરીતીને લઈ થઈ રહ્યા હોય એમ ફરજમાં બેદરકારી દાખવવામાં આવ્યા છે. મેઘરજના રાજપુરમાં એપ્રોચ રોડની કામગીરી દરમિયાન રસ્તાની લંબાઈ સ્થળ પર 1750 મીટર હોવા છતાં પણ 2200 મીટર હોવાનુ દર્શાવ્યુ છે. સ્થળ પર કામગીરી ઓછી કરવા છતાં સુપરવિઝનમાં બેદરકારી દાખવી હોવાનુ ધ્યાને આવ્યુ છે. ઉપરાંત રોડમાં જીએસટી-વેટમીક્ષ અને ડામર કામની જાડાઈ પણ ઓછી હોવાને લઈ ગુણવત્તા પણ જળવાઈ નથી. જેને લઈ તેઓને ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જૈનમ સંખેસરાને પણ ફરજ મોકૂફ કરાયા

મદદનીશ ઈજનેર જૈનમ સંખેશરાને પણ ફરજ મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગંભીર પ્રકારની બેદરકારી બંને અધિકારીઓ દાખવીને હોવાને લઈ ફરજ મોકૂફ કરીને તેઓને ગાંધીનગર મુખ્ય મથક ખાતેનો હુકમ કરવામાં આવ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કાર્યોમા બેદરકારી દાખવવાની ઘટનાને લઈ ફફડાટ વ્યાપ્યો છે.

આ પણ વાંચો : Sabarkantha: ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસાડવા જતા ગૂમ 9 ગુજરાતીઓનો મામલો, પોલીસે વધુ એક એજન્ટ ઝડપ્યો, થયો મોટો ખુલાસો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
g clip-path="url(#clip0_868_265)">